SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ T સદ્ધર્મવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૩૨ ગાથાર્થ : વળી જે કારણથી ભવસમુદ્રમાં પડતા જીવને સમ્ય નિયમથી ધારણ કરે છે, તે કારણથી સમ્યક્ત ભાવધર્મ કહેવાય છે. વળી ક્ષયોપશમભાવરૂપ ધર્મ નહિ પણ આચરણારૂપે કરાતો ધર્મ, ભવના અંગસ્વરૂપ હોવાથી ભાવધર્મ નથી. ભાવાર્થ : ધર્મ શબ્દની વ્યુત્પત્તિ છે કે “સંસારમાં પડતા જીવને ધારણ કરે”. તેનાથી એ પ્રાપ્ત થાય કે આત્માના સ્વભાવભૂત જે ધર્મ છે તે જ જીવને સંસારમાં પડતાં ધારણ કરી શકે, અન્ય નહીં. અને આ સમ્યક્ત એ જીવના ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના સ્વભાવભૂત છે, તેથી જ તે સંસારમાંથી જીવને બચાવી શકે છે અને આથી જ તે ભાવધર્મ છે. અને એના સિવાયનો લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવો આચરણાત્મક દાનાદિક્રિયાઓરૂપ ધર્મ, જો ભાવધર્મથી સંવલિત ન હોય તો સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે, અને તેથી તે ભાવધર્મ નથી પરંતુ અપ્રધાન દ્રવ્યધર્મ છે. - અહીં વિશેષ એ છે કે આ ભાવધર્મ પણ હેતુ, સ્વરૂપ અને ફળથી ગ્રહણ કરવાનો હોય છે; અને આથી જ ભાવધર્મને સન્મુખ એવા અપુનબંધકાદિનો આચરણાત્મક ધર્મ ભાવધર્મનો હેતુ છે, તેથી પ્રધાનદ્રવ્યધર્મ છે. માટે જ તે સંસારમાં પડતા જીવને પરંપરાએ બચાવનાર પણ છે.JI૬-૧૯ILL અવતરણિકા : આ રીતે ભાવધર્મનું સ્વરૂપ ગાથા-૧૯ માં બતાવ્યું, હવે મોક્ષના કારણભૂત એવી દાનાદિક્રિયાઓ આ ભાવધર્મથી જ શુદ્ધ થાય છે, તે બતાવતાં કહે છે - दाणाइया उ एयंमि चेव सुद्धा उ हुँति किरियाओ । एयाओ वि हु जम्हा मुक्खफलाओ पराओ य ॥२०॥ दानादिकास्त्वैतस्मिन्नेव शुद्धास्तु भवन्ति क्रियाः । एता अपि खलु यस्मान्मोक्षफलाः पराश्च ॥२०॥ અન્વયાર્થ : નિપ્પા જે કારણથી પરાગ યમકૃષ્ટ જ એવી યાગો આ દાનાદિક્રિયાઓ) વિ. પણ શું ખરેખર મુમવપત્તાનો મોક્ષફળવાળી થાય છે (તે કારણથી) ૩વળી ચિંમિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy