________________
૧૩૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D સદ્ધર્મવિંશિકા . છે, અને આથી જ આગળ યોગવિશિકામાં અનુકંપાદિને ચારિત્રના કાર્યરૂપે સ્વીકારેલ છે, અને તે પણ ઈચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિના ક્રમથી સ્વીકારાયેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં સમ્યક્તનું અવિનાભાવિ લિંગ આસ્તિક્ય છે, અને ઈચ્છાયોગરૂપ ચારિત્રનું કાર્ય અનુકંપા છે, પ્રવૃત્તિયોગરૂપ ચારિત્રનું કાર્ય નિર્વેદ છે, ધૈર્યયોગરૂપ ચારિત્રનું કાર્ય સંવેગ છે અને સિદ્ધિયોગરૂપ ચારિત્રનું કાર્ય પ્રશમ છે. આ રીતે પશ્ચાનુપૂર્વીથી પ્રાપ્તિક્રમ છે.
તો પ્રશ્ન થાય કે ઉપન્યાસ તે ક્રમથી કેમ ન કર્યો? એનો ઉત્તર આપતાં કહે છે કે પ્રાધાન્યની અપેક્ષાએ આ પ્રકારનો ઉપન્યાસ જાણવો. પાંચે ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ પ્રશમ છે તેથી પ્રશમને પ્રથમ કહેલ છે, અને ઉત્તર-ઉત્તરના ગુણો પૂર્વ-પૂર્વના ગુણો કરતાં હીન છે, તેથી તે ગુણોને આ પ્રકારના ક્રમથી કહેલ છે.li૬-૧૮
અવતરણિકા :
પાંચમી બીજાદિર્વિશિકામાં છેલ્લી ગાથામાં બતાવેલ કે બીજાદિ ક્રમથી જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે અને તે શુદ્ધધર્મ જ સમ્યક્ત છે. તે કઈ રીતે પ્રાપ્ત થાય છે તે આ વિંશિકામાં બતાવ્યું. ત્યારપછી સમ્યક્ત પ્રગટ થયા પછી જીવને જે પ્રમાદિ ગુણો પ્રગટે છે તે બતાવ્યા. ત્યારપછી તે પ્રશમાદિનો લાભક્રમ કઈ રીતે થાય છે તે બતાવ્યું. હવે તે સમ્યક્ત ભાવધર્મ કેમ છે અને એના સિવાયના અન્યધર્મ ભાવધર્મ કેમ નથી તે બતાવતાં કહે છે –
एसो उ भावधम्मो धारेइ भवनवे निवडमाणं । जम्हा जीवं नियमा अन्नो उ भवंगभावेणं ॥१९॥ एष तु भावधर्मो धारयति भवार्णवे निपतन्तम् । यस्माज्जीवं नियमादन्यस्तु भवाङ्गभावेन ॥१९।।
અન્વયાર્થ -
૩વળી નહીં જે કારણથી મન્નવે ભવસમુદ્રમાં નિવમા પડતા નવં જીવને (સમ્યક્ત) નિયમ નિયમથી ધારે ધારણ કરે છે તે કારણથી) અસો આ =સમ્યક્ત મવિધ ભાવધર્મ (કહેવાય છે). ૩વળી મન્નો અન્ય ક્ષયોપશમભાવરૂપ ધર્મ નહીં પણ આચરણારૂપે કરાતો ધર્મ સવંચમાવેvi ભવના અંગસ્વરૂપ હોવાથી (ભાવધર્મ
નથી).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org