SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / સદ્ધર્મવિંશિકા . ગાથાર્થ : જેમ ક્ષીણ વ્યાધિવાળો નર વ્યાધિની વેદનાથી રહિત હોય છે, તેમ તેવા પ્રકારના ક્ષયોપશમભાવથી સમ્યગ્દષ્ટિ પ્રશમાદિથી યુક્ત નિયમથી હોય છે. ભાવાર્થ : જેમ કોઈ જીવ પૂર્વમાં રોગ હોય ત્યારે તે રોગની વેદનાથી વિહ્વળ હોય છે અને જ્યારે તે રોગ નાશ પામે છે ત્યારે તે રોગની વેદનાથી રહિત હોય છે, અને પૂર્ણ સુખનો અનુભવ કરતો હોય છે; તેમ જીવ જયારે ભાવધર્મની પ્રાપ્તિરૂપ સમ્યક્તને પામે છે ત્યારે તેવા પ્રકારનો ક્ષયોપશમભાવ થવાને કારણે તે જીવ ભાવવ્યાધિથી રહિત બને છે, અર્થાત્ તેની ચેતના ભાવવ્યાધિની વ્યાકુળતાથી રહિત બને છે; અને તેના કારણે જ પૂર્વમાં બતાવેલા પ્રશમાદિ પાંચ ભાવોવાળું તેનું ચિત્ત થાય છે. તેથી જ કહ્યું છે કે આવા પ્રકારના પ્રશમાદિ પાંચ ભાવોવાળો આ સમ્યગ્દષ્ટિ હોય છે.I૬-૧૫ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે સમ્યક્ત પ્રમાદિ પાંચ ભાવોવાળું છે, ત્યાં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો જ અભાવ હોય, અપ્રત્યાખ્યાનાદિ કષાયોનો નહીં, તેથી “અપરાધમાં પણ ક્રોધ ન કરે” ઈત્યાદિ પ્રશમાદિ પાંચે ભાવો તેને કેવી રીતે ઘટે? એ પ્રકારની શંકા કરીને શ્લોક ૧૬ અને ૧૭માં જવાબ આપતાં કહે पढमाणुदयाभावो एयस्स जओ भवे कसायाणं । ता कहमेसो एवं? भन्नइ तव्विसयविक्खाए ॥१६॥ प्रथमानामुदयाभाव एतस्य यतो भवेत्कषायाणाम् । तत्कथमेष एवं? भण्यते तद्विषयापेक्षया ॥१६।। અન્વયાર્થ : નમો જે કારણથી ય આન=સમ્યગ્દષ્ટિને પઢમાણુમાવો વસાવા પ્રથમ-અનંતાનુબંધી કષાયોના ઉદયનો અભાવ મવે છે તો તે કારણથી હસો કેવી રીતે આ=સમ્યગ્દષ્ટિ વં? આવા પ્રકારનો પ્રશમાદિથી યુક્ત છે? મન્ન (તેનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy