SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uસદ્ધર્મવિંશિકા D. ગાથાર્થ : ભયંકર એવા ભવસાગરમાં દુઃખથી આર્ત એવા પ્રાણીઓના સમુદાયને જોઈને અવિશેષથી બંને પણ પ્રકારની અનુકંપા સમ્યગ્દષ્ટિ સામર્થ્યથી કરે છે. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિને સમ્યગુ તત્ત્વનો બોધ હોય છે તેથી તે સંસારવર્તી સર્વ જીવોને, જેમાં કેટલાક શારીરિક દુઃખોથી પીડાતા હોય તેવા પણ હોય, અને કેટલાક પુણ્યશાળી હોવાને કારણે સુખી દેખાવા છતાં ભાવરોગને કારણે દુઃખી હોય છે તેવા પણ હોય, તે સર્વ જીવોને દુઃખથી આર્ત જોઈને, આ મારા સંબંધી છે કે નથી એવા પ્રકારના કોઈપણ ભેદભાવ વગર, તેમની દ્રવ્ય અને ભાવઅનુકંપા પોતાની શક્તિને અનુસાર કરે છે. અહીં ભાવઅનુકંપાથી જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવી ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવો દયાનો પરિણામ ગ્રહણ કરવાનો છે; અને પોતાની ભૂમિકાને અનુરૂપ પોતાના તરફથી કોઈ જીવોને પીડા ન થાય તે પ્રકારની સમ્યગૂ યતનારૂપ, અને પીડિત જીવોની પીડાના પરિવારમાં યત્નરૂપ, દ્રવ્યઅનુકંપા ગ્રહણ કરવાની છે.ll૬-૧૩ मन्नइ तमेव सच्चं नीसंकं जं जिणेहिं पण्णत्तं । सुहपरिणामो सच्चं( संका )कंखाइविसुत्तियारहिओ ॥१४॥ मन्यते तदेव सत्यं निःशङ्कं यज्जिनैः प्रज्ञप्तम् । शुभपरिणामः शंकाकाङ्क्षादिविस्रोतसिकारहितः ॥१४।। અન્વયાર્થ : સવૅ( સં)વાવિભુત્તિયાદિ શંકા, કાંક્ષા આદિ વિસ્રોતસિકારહિત સુપરિણામો શુભપરિણામવાળો (સમ્યગ્દષ્ટિ), ત્રિફ તમેવ સર્વાં નીસં સં નિર્દિ પUUUત્ત તે જ સત્ય છે નિઃશંક છે જે ભગવાન વડે કહેવાયું છે (એ પ્રકારે) માત્ર માને ક (અહીં સāવાના સ્થાને સંબંવારૂ સામાસિક પદ હોવું જોઇએ-પાઠ મળ્યો નથી.) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy