________________
૧૨૪
0 સદ્ધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સંસારના સર્વ ભાવો પ્રત્યે મમત્વરૂપી વિપનો આવેગ તેનામાં હોતો નથી, અને તેથી જ તે મોક્ષમાર્ગમાં યત્ન કરે છે; અને જયાં સુધી સાધના પૂર્ણ ભૂમિકાની નિષ્પન્ન ન થાય ત્યાં સુધી સંસારમાં દુઃખપૂર્વક વસે છે.
અહીં “અપિ'થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ જીવ મમત્વવિષવેગરહિત ન હોય તો તો મોક્ષમાર્ગમાં સમ્યગૂ યત્ન ન કરી શકે; પરંતુ મમત્વવિષવેગરહિત હોવા છતાં, અને મોક્ષમાર્ગમાં યત્ન કરવા છતાં, મોક્ષમાર્ગને પૂર્ણ રીતે નિષ્પન્ન કરી શક્યો નથી; અને તેથી સંસારમાં વસવા જેવું નહીં લાગવા છતાં દુઃખપૂર્વક વસે છે.
અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે સંસારીજીવો સંસારના પ્રતિકૂળ ભાવોને દૂર કરવા માટે અને અનુકૂળ ભાવોને મેળવવા માટે યત્નવાળા હોય છે; જયારે સમ્યગ્દષ્ટિ જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ હોય છે, અને તેથી જ સંસારના ભાવોમાં તીવ્ર સંશ્લેષ તેમને હોતો નથી, પરંતુ આત્માના શુદ્ધ સ્વરૂપનું જ સમ્યગ્દષ્ટિને તીવ્ર ખેંચાણ હોય છે; તેથી સતત સંસારના ભાવોથી છૂટવા માટેની અભિલાષાવાળો હોય છે, અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પોતાની વિકૃત અવસ્થા છે એ પ્રકારનો સ્પષ્ટ બોધ હોય છે, તેથી તે દુઃખપૂર્વક સંસારમાં વસે છે તેમ કહેલ છે. પરંતુ સામાન્ય સંસારીજીવો જેમ દુઃખથી વિહ્વળ દેખાય તેમ વિહ્વળ માનસવાળા સમ્યગ્દષ્ટિ હોતા નથી.il૬૧શા
दट्ठण पाणिनिवहं भीमे भवसागरम्मि दुक्खत्तं । अविसेसओऽणुकंपं दुहा वि सामत्थओ कुणइ ॥१३॥ दृष्ट्वा प्राणिनिवहं भीमे भवसागरे दुःखार्तम् । अविशेषतोऽनुकम्पां द्विधाऽपि सामर्थ्यतः करोति ॥१३।।
અન્વયાર્થ:
મીને મવસTTE ભયંકર એવા ભવસાગરમાં યુવરવરં દુઃખથી આર્ત એવા પાછનિવદં પ્રાણીઓના સમુદાયને દૃગ જોઈને વિશેસો અવિશેષથી ૩ વિ બન્ને પણ પ્રકારની માં અનુકંપા (સમ્યગ્દષ્ટિ) સામર્થી સામર્થ્યથી હું કરે
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org