________________
0 સદ્ધર્મવિંશિકા D
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૨૨
ગાથાર્થ :
અને કર્મની પ્રકૃતિને અથવા કર્મના અશુભ વિપાકને જાણીને સર્વકાળ પણ ઉપશમ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ અપરાધમાં પણ ક્રોધ કરતો નથી.
ભાવાર્થ :
જયારે જીવ ગ્રન્થિભેદ કરીને સમ્યક્ત પામે છે ત્યારે સમ્યક્તને કારણે પ્રથમ પરિણામ પ્રગટે છે. આ પ્રશમ પરિણામવાળા જીવનું માનસ કેવું હોય તે આ ગાથામાં બતાવેલ છે. તત્ત્વના બોધને કારણે આવો જીવ જયારે કોઈ અપરાધ કરે ત્યારે આ અપરાધ કરવો એ જીવની પ્રકૃતિ નથી પણ કર્મની પ્રકૃતિ છે, કર્મને વશ થઈને જીવે અપરાધ કર્યો છે એમ જાણીને, અથવા પોતે જો ક્રોધ કરશે તો કર્મથી બંધાશે અને કર્મના અશુભ વિપાક પોતાને ભોગવવા પડશે એમ જાણીને, સમ્યગ્દષ્ટિ જીવ સર્વકાળ ઉપશમભાવમાં હોય છે. અને આવો ઉપશમભાવ હોવાને કારણે કોઈએ અપરાધ કર્યો હોય તો પણ તે અપરાધી ઉપર સમ્યગ્દષ્ટિ જીવ ક્રોધ કરતો નથી.I૬-૧૦ણા
नरविबुहेसरसुक्खं दुक्खं चिय भावओ उ मन्नंतो । संवेगओ न मुक्खं मुत्तूणं किंपि पत्थेइ ॥११॥ नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतस्तु मन्यमानः । संवेगतो न मोक्षं मुक्त्वा किमपि प्रार्थयते ॥११।।
અન્વયાર્થ -
૩વળી નવિવુદેસરનુવં મનુષ્ય અને દેવેન્દ્ર સંબંધી સુખને માવો ભાવથી દુર્ઘદુઃખરિયજ મન્નતો માનતો (એવો સમ્યગ્દષ્ટિજીવ), સંવેપારી સંવેગ હોવાને કારણે પુર્વ મોક્ષને મુર્UT છોડીને લિપિ કાંઈ પણ નપત્યે પ્રાર્થના કરતો નથી.
ગાથાર્થ -
વળી મનુષ્ય અને દેવેન્દ્ર સંબંધી સુખને ભાવથી દુઃખ જ માનતો એવો સમ્યગ્દષ્ટિ જીવ, સંવેગ હોવાને કારણે મોક્ષને છોડીને કાંઈ પણ પ્રાર્થના કરતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org