________________
૧૧૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
સદ્ધર્મવિંશિકા 0 जा गंठी ता पढम, गंठिं समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण सम्मत्तपुरक्खडे जीवे ॥८॥ यावद्ग्रन्थिस्तावत् प्रथम, ग्रन्थि समतिकामतो भवेद् द्वितीयम् । अनिवृत्तिकरणं पुनः सम्यक्त्वपुरस्कृते जीवे ॥८॥
અન્વયાર્થ
ના હી તા ગ્રન્થિ સુધી (જીવન) પઢમં પ્રથમ છે. હિં ગ્રન્થિને સમો સમતિક્રાન્ત=ભેદ કરતાં જીવને વીર્થ બીજું ભવે થાય, પુ! વળી સમત્તપુરવડે નીવે સમ્યક્તને સન્મુખ થયેલા જીવમાં માયટ્ટRTI અનિવૃત્તિકરણ થાય.
છે. અહીં ના તા એમ કહ્યું છે ત્યાં તો વાક્યાલંકારમાં છે અને ગ્રન્થિના ભેદકાળમાં બીજું અપૂર્વકરણ છે અને તેના પૂર્વ સુધી પ્રથમ છે, તે બતાવવા માટે યવસ્થિ : એમ કહેલ છે.
ગાથાર્થ :
ગ્રંથિ સુધી જીવને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથિને ભેદ કરતાં જીવને બીજું અપૂર્વકરણ થાય છે. વળી સમ્યક્તને સન્મુખ થયેલા જીવમાં અનિવૃત્તિકરણ થાય. ભાવાર્થ -
ગ્રંથિ સુધી જીવને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ છે, ગ્રન્થિને ભેદતાં બીજું અપૂર્વકરણ થાય છે અને સમ્યક્તની અભિમુખ થયેલા જીવમાં અનિવૃત્તિકરણ હોય છે.
સંસારના આશયવાળો કે આશય વગરનો કોઈ પણ જીવ ધર્મની પ્રવૃત્તિ કરવા અભિમુખ થાય છે ત્યારે તે ગ્રન્થિદેશમાં આવે છે. આ ગ્રન્થિદેશની જ વિશુદ્ધ ભૂમિકા યોગની પ્રથમ ચાર દષ્ટિ છે. અપેક્ષાએ તેને અપુનબંધક અવસ્થા પણ કહેવાય છે અને એ જ ચરમયથાપ્રવૃત્તિકરણ છે. ચરમયથાપ્રવૃત્તિકરણમાં તત્ત્વજિજ્ઞાસા તો પ્રવર્તતી હોય છે, પણ હજી અતત્ત્વમાં તે જીવોનો રાગ વર્તતો હોય છે અને આથી જ તે જીવોએ સમ્યમ્ બોધ કરવામાં પ્રતિબંધક એવા રાગદ્વેષના પરિણામરૂપ ગ્રન્થિ ભેદી નથી હોતી.
આવા અપુનબંધક આદિ જીવો જ જયારે ઉપદેશ આદિના નિમિત્તે અધિગમ સમ્યત્વ પામે છે, ત્યારે તત્ત્વ-અતત્ત્વના વિભાગ માટે ઉપયોગવાળા બની જાય છે, અને તે તત્ત્વનિર્ણયના યત્નકાળમાં જીવમાં વર્તતા અતત્ત્વ પ્રત્યેના રાગને દૂર કરવા તેઓ યત્ન કરતા હોય છે; તે જ તેમની ગ્રન્થિભેદની પ્રક્રિયા છે, અને તેને જ અપૂર્વકરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org