________________
7 સદ્ધર્મવિશિકા J અવતરણિકા :
ગાથા-૧માં બતાવ્યું કે ચરમઉત્કૃષ્ટસ્થિતિના ક્ષપણથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તેથી ગાથા-૨-૩-૪માં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી. હવે ઉત્કૃષ્ટ સ્થિતિમાં જીવને સમ્યક્ત્વ કેમ પ્રાપ્ત થતું નથી, તે બતાવતાં કહે છે -
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
अट्टहं पयडीणं उक्कोसठिईए वट्टमाणो उ । जीवो न लहइ एयं जेण किलिट्ठासओ भावो ॥५॥ अष्टानां प्रकृतीनां उत्कृष्टस्थितौ वर्तमानस्तु 1 जीवो न लभत एतद् येन क्लिष्टाशयो भावः 11411
અન્વયાર્થ:
૩ વળી નેળ જે કારણથી વ્હિનિટ્ટાસો (જીવનો) ક્લિષ્ટ આશયવાળો માળે ભાવ છે (તે કારણથી) અદ્ભુતૢ આઠે પયડીનં પ્રકૃતિની ક્રોસતિ, ઉત્કૃષ્ટ સ્થિતિમાં વટ્ટમાળો વર્તતો નીવો જીવ યં આસમ્યક્ત્વ ન તફ પામતો નથી.
૧૧૬
ગાથાર્થ ઃવળી જે કારણથી જીવનો ક્લિષ્ટ આશયવાળો ભાવ છે તે કારણથી આઠે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો જીવ સમ્યક્ત્વ પામતો નથી.
Jain Education International
ભાવાર્થ :
અહીં વિશેષ એ છે કે જીવમાં કર્મની અનુબંધશક્તિ જુદી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્તિ જુદી છે. દૂર દૂર પુદ્ગલપરાવર્તમાં અનુબંધશક્તિ ઘણી અધિક હતી અને ચરમપુદ્ગલપરાવર્તમાં પણ અનુબંધશક્તિ ઘણી પણ હોય છે, પણ અન્ય આવર્ત કરતાં ઘણી ઓછી છે. અનાદિનિગોદમાં અનુબંધશક્તિ અધિક હોવા છતાં જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમથી અધિક હોતી નથી, તેથી અનંત કાળ સુધી નિગોદમાં રહેવા છતાં જીવે ૭૦ કોડાકોડી આદિરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારેય બાંધી નથી. અનાદિનિગોદમાં શક્તિરૂપે ઉત્કૃષ્ટ સ્થિતિના હેતુભૂત ક્લિષ્ટ ભાવ તો છે જ, પરંતુ પંચેન્દ્રિયપણું આદિ નહીં હોવાને કારણે ઉત્કૃષ્ટ સંક્લેશ અભિવ્યક્ત થતો નથી, અને તેથી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો નથી. પંચેન્દ્રિયપણામાં પણ તેવા પ્રકારના રાગાદિ ક્લેશના નિમિત્તો મળે છે ત્યારે જ ઉત્કૃષ્ટ ક્લેશ ઉત્પન્ન થાય છે, અને ત્યારે જ ઉત્કૃષ્ટ
For Personal & Private Use Only
www.jainelibrary.org