________________
ઇ સદ્ધર્મવિશિકા ઇ
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૧૪
આવી રીતે જીવે અનંતી વખત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી, અને ભોગવીને કે અન્ય નિમિત્તે તેનું ક્ષપણ પણ કર્યું. પરંતુ જીવ જ્યારે અપુનબંધક બને છે ત્યારે પુનઃ પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા જ નાશ થઇ જાય છે. તેથી અપુનર્બંધકપ્રાપ્તિકાળમાં ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનું ક્ષપણ થાય છે અને તે થયા પછી જીવમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણનો પરિણામ થાય છે, જેમાં અપૂર્વકરણથી સાધ્ય સમ્યક્ત્વરૂપ શુદ્ધધર્મ થાય છે. આ સમ્યક્ત્વ, જીવના શુભ આત્મપરિણામરૂપ છે, પણ ઉપાધિકૃત નથી.
અપૂર્વકરણથી સાધ્ય સમ્યક્ત્વ છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, અપુનર્બંધક થવા પૂર્વે પણ યથાપ્રવૃત્તિકરણ થાય છે પણ તેનાથી સમ્યક્ત્વ મળતું નથી, અને અપૂર્વકરણ થયા પછી અવશ્ય અનિવૃત્તિકરણ થાય જ છે, તેથી અપૂર્વકરણથી જ સમ્યક્ત્વ સાધ્ય છે, તેમ કહેલ છે.II૬-૧
અવતરણિકા :
ગાથા-૧માં બતાવ્યું કે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનું ક્ષપણ થયે છતે અપૂર્વકરણથી સાધ્ય શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત્વ થાય છે, તેથી હવે કર્મો કેટલાં છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે તે બતાવવા અર્થે કહે છે -
कम्माणि अट्ठ नाणावरणिज्जाईणि हुंति जीवस । तेसिं च ठिई भणिया उक्कोसेणेह समयम् ॥२॥ कर्माण्यष्ट ज्ञानावरणीयादीनि भवन्ति जीवस्य तेषां च स्थितिर्भणिता उत्कृष्टेने ह उत्कृष्टेनेह समये
અન્વયાર્થ :
जीवस्स वा नाणावरणिज्जाईणि ज्ञानावरणीयाहि अट्ठ साह कम्माणि કર્મો હુંતિ હોય છે હૈં અને રૂ . સમયમ્મિ આ દર્શનમાં તેપ્તિ તેની ઉન્નોસેળ ઉત્કૃષ્ટથી વિરૂં સ્થિતિ મળિયા કહેવાયેલી છે.
IIRII
ગાથાર્થ :
જીવનાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો હોય છે અને આ દર્શનમાં=ભગવાનના દર્શનમાં તેની ઉત્કૃષ્ટથી સ્થિતિ કહેવાયેલી છે.૬-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org