________________
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
૧૧૨
@ બીજાદિવિશિકા ] ગાથાર્થ -
જે પ્રકારે ચંદનની ગંધ છે તે પ્રકારે તત્ત્વથી જ આ શુદ્ધધર્મ ગાથા-૧થી ગાથાપમાં બતાવ્યું. એ રીતે બીજાદિના ક્રમથી જીવોને થાય છે.
ભાવાર્થ -
જેમ ચંદનમાં ગંધ ચંદનની પ્રકૃતિરૂપ હોય છે તેમ સમ્યક્તની પ્રાપ્તિરૂપ શુદ્ધધર્મ જીવની પ્રકૃતિરૂપ છે. તેથી કહ્યું કે તત્ત્વથી જ આ શુદ્ધધર્મ જીવને પ્રગટે છે. શુદ્ધધર્મથી દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ધર્મ નથી લેવાનો, પણ ગાથા-પમાં બતાવેલ દેશનાદ્વારા પ્રગટ થયેલ યથાર્થ બોધરૂપ ભાવધર્મ લેવાનો છે. પદાર્થને યથાર્થ જોવો, એ જીવની પ્રકૃતિ છે, પરંતુ કર્મના કારણે જીવમાં વિપર્યાસ હોવાથી જીવને અતત્ત્વ તત્ત્વરૂપે દેખાય છે; પરંતુ જ્યારે જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવ તત્ત્વને જ તત્ત્વરૂપે જોઈ શકે છે અને આ જ જીવની પ્રકૃતિ છે. તેથી જ “આ ભાવધર્મ ચંદનમાં રહેલી ગંધતુલ્ય છે” તેમ કહેલ છે.પ-૨૦ll
॥ इति पञ्चमी बीजादिर्विशिका समाप्ता॥५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org