________________
T બીજાદિવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૦૮ અન્વયાર્થ :
તા તે કારણથી શ્લોક-૬માં બતાવ્યા પ્રમાણે બીજની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થાય છે તે કારણથી, વીપુલ્વત્નો બીજ (પ્રાપ્તિ) પૂર્વનો કાળ રૂદ અહીં=સંસારમાં મવેવીશાન વિભવબાળકાળ જમો જાણવો. વળીરૂર ઇતર બીજ (પ્રાપ્તિ)નો કાળ ત્રિભુ લિંગથી ગમ્ય ધર્મનુષ્યનો વિ ધર્મનો યૌવનકાળ જ (જાણવો).
ત્તિ અને દિ પાદપૂર્તિ માટે છે. વિદ ના બદલે અહીં વિદિ પાઠ ધર્મપરીક્ષાના આધારે લીધેલ છે.
ગાથાર્થ :
શ્લોક-૬માં બતાવ્યા પ્રમાણે બીજની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થાય છે તે કારણથી, બીજપ્રાપ્તિપૂર્વનો કાળ સંસારમાં ભવબાળકાળ જ જાણવો. વળી બીજપ્રાપ્તિનો કાળ લિંગથી ગમ્ય ધર્મનો યૌવનકાળ જ જાણવો.
ભાવાર્થ
ચરમાવર્તમાં જ જીવોને બીજાદિની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઇક જીવને ચરમાવર્તમાં આવીને તરત બીજાદિની પ્રાપ્તિ થાય છે, તો કોઈક જીવને પાછળથી થાય છે. અચરમાવર્તમાં તો નિયમાં બીજાદિની પ્રાપ્તિ નથી થતી. તેથી અચરમાવર્તકાળ એ બીજપ્રાપ્તિપૂર્વનો કાળ છે. બીજપ્રાપ્તિપૂર્વનો કાળ સંસારમાં ભવબાળકાળ કહેવાય છે. જેમ બાલ્યકાળમાં જીવો માત્ર રમત-ગમતમાં રસ લેતા હોય છે પરંતુ પોતાના ભાવિનો વિચાર કરતા નથી, તેમ બીજપ્રાપ્તિપૂર્વનો કાળ સંસારમાં માત્ર વિષયોની આસક્તિથી પ્રવૃત્તિ કરવારૂપ ભવનો બાળકાળ છે, અર્થાત્ ભવમાં રમવાનો અનુકૂળ બાળકાળ છે; અને જેમ જીવોમાં યુવાની દરમ્યાન અર્થાદિ ઉપાર્જન માટે અને ભાવિ માટે વિચારણા પ્રગટે છે, તેમ ચરમાવર્તમાં આત્મહિત માટે વિચારણા પ્રગટે છે. તેથી બીજપ્રાપ્તિ પછીના ચરમાવર્તકાળને ધર્માદિને અનુકૂળ એવો ધર્મયૌવનકાળ કહેવાય છે. કયા જીવમાં ધર્મનો યૌવનકાળ છે તે પૂર્વમાં કહેલા બીજાદિના લક્ષણરૂપ લિંગોથી છબસ્થ જાણી શકે છે..પ-૧૬ll
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં ભવનો બાળકાળ અને ધર્મયૌવનકાળ બતાવ્યો. હવે તે બાળકાળના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org