________________
૧૦૭.
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિશિકા ભાવાર્થ :
ગાથા-૧૧થી ૧૩ સુધીમાં જે દૈવ અને પુરુષકારની પરસ્પર સાપેક્ષતા બતાવી, તે પ્રકારની શાસ્ત્રનીતિ છે. આ શાસ્ત્રનીતિનું દરેક કાર્યમાં યોજન હોવાથી કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર પ્રધાન-ગૌણ ભાવે સંકળાયેલા છે, અર્થાત્ કોઇક સ્થાનમાં દૈવ પ્રધાનરૂપે હોય અને કોઇક સ્થાનમાં પુરુષકાર પ્રધાનરૂપે હોય, પરંતુ કોઈ પણ સ્થાને બંનેમાંથી કોઇ એકથી કાર્ય થતું નથી .II૫-૧૫
અવતરણિકા :
ચોથી વિંશિકામાં છેલ્લે બતાવેલ કે ચરમાવર્તમાં ધર્મનો રાગ પ્રગટે છે, અને તે ધર્મનો રાગ બીજાદિના ક્રમથી ભાવધર્મની પ્રાપ્તિરૂપ ફળમાં પર્યવસાન પામે છે, તે વાત ગાથા એકથી પાંચમાં બતાવી. ત્યારપછી શ્લોક-૬માં બતાવ્યું કે બીજની પ્રાપ્તિ પણ ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ થાય છે, અન્યમાં નહીં; અને ચરમપુદ્ગલપરાવર્ત પછી પણ સંસાર પાર કરવામાં અનંત કાળ પસાર થઈ શકે છે એમ શ્લોક-૭માં બતાવ્યું. અનંત કાળ પસાર થવાનું કારણ સાંતર બીજાદિ છે એ શ્લોક-૮માં બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોના બીજાદિ સાંતર છે અને કેટલાકના નિરંતર, તેનું કારણ તથાભવ્યત્વ છે. આથી કોઇને શંકા થાય છે તથાભવ્યત્વથી જ બીજાદિ સાંતર કે નિરંતર થાય છે, તેથી શ્લોક ૯-૧૦માં બતાવ્યું કે કાળાદિ ચાર કારણોની અપેક્ષાએ જ તથાભવ્યત્વથી કાર્ય થાય છે, પણ માત્ર તથાભવ્યત્વથી નહીં, અને તેથી જ સાંતર અને નિરંતર બીજની પ્રાપ્તિમાં પણ દેવ અને પુરુષકાર પરસ્પર સંકળાયેલા છે. એથી જ દૈવ અને પુરુષકારનો પરસ્પર સાપેક્ષભાવ ગાથા-૧૧ અને ગાથા-૧૨માં બતાવ્યો. ત્યારપછી દૈવ અને પુરુષકારનું લક્ષણ ગાથા-૧૪માં બતાવ્યું અને ગાથા-૧૫માં દેવ અને પુરુષકારની પરસ્પર સાપેક્ષતાનું નિગમન કરીને હવે ચરમાવર્તમાં બીજાદિની પ્રાપ્તિ થાય છે એમ જે ગાથા-૬માં બતાવેલ, તેને સામે રાખીને બીજાદિની પ્રાપ્તિ પછીના કાળનું અને બીજાદિની પ્રાપ્તિ પૂર્વના કાળનું સ્વરૂપ બતાવતાં કહે છે –
ता बीजपुव्वकालो नेओ भवबालकाल एवेह । इयरो उ धम्मजुव्वणकालो विह (वि हि) लिंगगम्मु त्ति ॥१६॥ ततो बीजपूर्वकालो ज्ञेयो भवबालकाल एवेह । इतरस्तु धर्मयौवनकालोऽपि हि लिङ्गगम्य इति ॥१६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org