________________
ઇ બીજાદિવિંશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
ગાથાર્થ ઃ
આ સંસારમાં ભિન્ન ભિન્ન વિપાકવાળું પૂર્વકૃત કર્મ જ દૈવ કહેવાય છે, તથા કાળ, ક્ષેત્ર અને બાહ્ય સામગ્રીવડે દૈવનું પાચન જ પુરુષકાર કહેવાય છે.
ભાવાર્થ:
તે કાળમાં, તે ક્ષેત્રમાં અને તે તે બાહ્ય સામગ્રીમાં કર્મને વિપાક અભિમુખ કરવાનો જીવનો જે પ્રયત્ન છે તે જ દૈવનું પાચન છે. આ પ્રયત્ન જ કાળાદિવડે દૈવનું પાચન છે, અને તે જ તેવા પ્રકારનો એટલે કે કાર્યને અનુકૂળ એવો પુરુષકાર છે.II૫
9811
૧૦૬
અવતરણિકા :
દૈવ અને પુરુષકાર પરસ્પર અવિરુદ્ધ છે, તે બતાવવા માટે ૧૦મી ગાથાથી શરૂ કરેલ વાતનું નિગમન કરતાં કહે છે...
इय समयनीइजोगा इयरेयरसंगया उ जुज्जंति । इह दिव्वपुरिसगारा पहाणगुणभावओ दोवि ॥ १५ ॥ इति समयनीतियो गादितरे तरसंगतौ तु युज्येते 1 इह दैवपुरुषकारौ प्रधानगुणभावतो द्वावपि ||
અન્વયાર્થ :
રૂથ આ રીતે=ગાથા-૧૧થી ૧૩માં બતાવ્યું એ રીતે સમયનીનો સમયનીતિના યોગથી જ્ઞ અહીં=કાર્યમાત્રમાં પહાળગુમાવો પ્રધાન-ગૌણભાવથી હોય સંયા ૩ઇતરેતર સંગત જવિત્ત્રપુરિસTM દૈવ અને પુરુષકાર શેવિ બંને પણ નુષ્નતિ ઘટે છે.
Jain Education International
ગાથાર્થ ઃ
આ રીતે સમયનીતિના યોગથી કાર્યમાત્રમાં પ્રધાન-ગૌણભાવથી ઇતરેતર સંગત જ દૈવ અને પુરુષકાર બંને પણ ઘટે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org