________________
૧૦૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિંશિકા / દેવવાદી અને પુરુષકારવાદી બંનેને કૂવામાં ઉતારવામાં આવ્યા. પુરુષકારવાદીએ પ્રયત્ન કરીને બે લાડવા પ્રાપ્ત કર્યા અને પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરેલા બે લાડવામાંથી એક લાડવો તેણે દૈવવાદીને આપ્યો. ભાગ્યવાદીએ તો માત્ર તે લાડવાને લેવાનો અને તેને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું ભાગ્ય બળવાન હોવાથી આવા અલ્પ પ્રયત્નથી તેને લાડવામાંથી તે રત્નની પ્રાપ્તિ થઈ. આ રત્નની પ્રાપ્તિમાં પુરુષકાર અલ્પ છે, છતાં તે પુરુષકારને ન માનીએ તો પુરુષકારરૂપ કારણ વિનાના દૈવથી આ કાર્ય થયું તેમ માનવું પડે, તેથી તે દૈવને અહેતુક માનવું પડે.
દૈવ અહેતુક છે માટે તે રત્નની પ્રાપ્તિરૂપ કાર્યદેવનો પરિણામ ન કહેવાય, કેમ કે ત્યારે દેવમાત્રથી થયેલું કોઈ કાર્ય નથી, પરંતુ દેવ અને પુરુષકાર ઉભયજન્ય તે કાર્ય છે. આમ છતાં પુરુષકાર ગૌણ છે અને દૈવ મુખ્ય છે, તેથી કેવલદેવથી થયું તે પ્રકારનો ઉપચાર વ્યવહારમાં પ્રવર્તે છે.JI૫-૧all
અવતરણિકા :
પાંચ કારણો પરસ્પર સાપેક્ષ હોવાના કારણે ૧૦મી ગાથામાં બતાવ્યું કે દૈવ અને પુરુષકારને કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ તરીકે સ્વીકારવામાં વિરોધ આવતો નથી. ત્યારપછી ૧૧મી થી ૧૩મી ગાથામાં બતાવ્યું કે વ્યવહારમાં કોઈક સ્થાનમાં પુરુષકારની અને કોઇક સ્થાનમાં દેવની પ્રધાનતા હોવા છતાં પણ સર્વત્ર ઉભયથી જ કાર્ય થાય છે. આમ દેવ અને પુરુષકારનો વિરોધ નથી એમ સ્થાપન કર્યું. તેથી પ્રશ્ન થાય કે આ દૈવ અને પુરુષકાર છે શું? તે બતાવતાં કહે છે -
पुव्वकयं कम्मं चिय चित्तविवागमिह भन्नई दिव्यो । कालाइएहिं तप्पायणं तु तह पुरिसागारु त्ति ॥१४॥ पूर्वकृतं कर्मैव चित्रविपाकमिह भण्यते दैवम् । कालादिकैस्तत्पाचनं तु तथा पुरुषकार इति ॥१४।।
અન્વયાર્થ :
રૂદ અહીં-આ સંસારમાં વિત્તવિવમ્ પુથ્વયં મં ચિય ભિન્ન ભિન્ન વિપાકવાળું પૂર્વકૃત કર્મ રિવ્યોદેવમન્ન કહેવાય છે, તદતથા નિર્દિકાળાદિવડે તપાય તેનું દૈવનું પાચન તુ જ પુરિસી પુરુષકાર (કહેવાય છે). ત્તિ પાદપૂર્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org