________________
૧૦૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિંશિકા પુરુષકાર, દૈવથી જ આક્ષિપ્ત હોય છે, કેમ કે કહેવાય છે “બુદ્ધિ કર્માનુસારિણી.”
જ્યારે જીવનું પુણ્ય અર્થપ્રાપ્તિને અનુકૂળ હોય છે, ત્યારે તેને અર્થ માટેનો ઉપાય દેખાય છે અને તેમાં તે પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્નથી અર્થની પ્રાપ્તિ પણ તેને થાય છે. અહીં જીવે દેવથી આક્ષિપ્ત પ્રયત્નથી ફળ મેળવ્યું છે છતાં વ્યવહારમાં એમ કહેવાય છે કે જીવે પ્રયત્નને અનુકૂળ ફળ મેળવ્યું છે.
બીજી તરફ જ્યારે જીવનું પુણ્ય અર્થપ્રાપ્તિ માટે અનુકૂળ નથી હોતું, ત્યારે તે વિપરીત પુણ્યરૂપી દૈવથી આક્ષિપ્ત જીવને એવી જ બુદ્ધિ થાય છે કે જેથી તેના પ્રયત્નથી અર્થપ્રાપ્તિને બદલે નુકસાન થાય. ત્યારે જીવે પુરુષકારથી નુકસાન કર્યું છે તેમ નથી કહેવાતું, પરંતુ તેનું પાપ ઉદયમાં આવ્યું છે એમ કહેવાય છે. વાસ્તવમાં તો અહીં પણ માત્ર વિપરીત પુણ્યને કારણે નુકસાન નથી થયું પણ વિપરીત પુરુષકાર પણ અર્થપ્રાપ્તિને બદલે નુકસાન કરાવવામાં કારણભૂત છે. આમ છતાં, જીવ લાભને સામે રાખીને પ્રયત્ન કરતો હોય છે, તેથી જ્યારે લાભ થાય ત્યારે જ એ લાભ પ્રયત્નથી થયો એવો વ્યવહાર થાય છે; જયારે નુકસાન થાય છે ત્યારે જીવે નુકસાનને સામે રાખીને પ્રયત્ન નથી કર્યો હતો, તેથી નુકસાન પ્રત્યે બળવાન કારણ પાપ દેખાય છે; તેથી પાપથી તે કાર્યથયું તેમ વ્યવહાર પ્રવર્તે છે. વાસ્તવિક રીતે તો ત્યાં દેવ અને પુરુષકાર બંને હાજર હોય છે.
આવી જ રીતે જ્યારે કોઇ જીવ મોહનીયના ક્ષયોપશમથી આક્ષિત ચિત્તને કારણે તત્ત્વની જિજ્ઞાસા અને તે તે પ્રકારના પ્રયત્નોથી તત્ત્વની પ્રાપ્તિ કરે છે, ત્યારે ક્ષયોપશમભાવસ્વરૂપદેવથી આક્ષિપ્ત એવા તેવા પ્રકારના પ્રયત્નથી કાર્ય થયેલ હોવાને કારણે, પ્રયત્નથી તેણે તત્ત્વની પ્રાપ્તિ કરી એમ કહેવાય છે.
બીજી તરફ જયારે કોઈક જીવને વાદળાંને જોઈને નવ પૂર્વાદિ સુધીનો ક્ષયોપશમ થઈ જાય છે, ત્યારે તત્ત્વપ્રાપ્તિ માટે તેણે તે તે પ્રકારનો પ્રયત્ન કર્યો હોય તેમ દેખાતું નથી, તેથી ત્યાં પુરુષકારથી ફળ પ્રાપ્ત થયું છે એમ કહેવાતું નથી. આમ છતાં અહીં પણ વાદળાંને જોઈને તેવા પ્રકારનું અંતરંગ વીર્યનો પ્રવર્તે છે કે જેથી વિશેષ પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થયો. અહીં કર્મ અતિ સોપક્રમ હોવાને કારણે માત્ર શુભ અધ્યવસાયથી તે કર્મ ક્ષયોપશમભાવને પામે છે, તેથી અહીં દૈવ મુખ્ય કહેવાય છે. પરંતુ જીવ જ્યારે અંદરના ક્ષયોપશમભાવથી પ્રેરાઈને ભણવા યત્ન કરે છે, ત્યારે દૈવથી આક્ષિપ્ત પુરુષકાર હોવા છતાં શાસ્ત્ર ભણનારના પ્રયત્નની મુખ્યતા હોવાને કારણે ત્યાં પુરુષકાર જ મુખ્ય કહેવાય છે.
તેથી એ ફલિત થયું કે દૈવથી આક્ષિપ્ત કાર્યને અનુકૂળ તેવો તેવો પ્રયત્ન જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org