SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાદિવિંશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૦૦ અવતરણિકા : કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર બન્ને કારણ હોવા છતાં વ્યવહારનયથી પુરુષકારની પ્રધાનતા ક્યાં છે એ શ્લોક -૧૧માં બતાવે છે અને દૈવની પ્રધાનતા ક્યાં છે એ શ્લોક-૧રમાં બતાવે છે. जो दिव्वेणक्खित्तो तहा तहा हंत पुरिसगारु त्ति । तत्तो फलमुभयजमवि भण्णइ खलु पुरिसगाराओ ॥११॥ यस्मात् दैवेनाक्षिप्तस्तथा तथा हन्त पुरुषकार इति । ततो फलमुभयजमपि भण्यते खलु पुरुषकारात् ॥११।। અન્વયાર્થ: નો જે કારણથી વિશ્વે મિત્તો દેવવડે આક્ષિત તહી ત દંત પુરિસTI તે તે પ્રકારનો પુરુષકાર હોય છે, તો તે કારણથી પત્નકુમનમવિ બંનેથી પણ ઉત્પન્ન થયેલા ફળને વસ્તુ ખરેખર રિસTIRTો પુરુષકારથી થયું એમ) મ00ારું કહેવાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. અહીં દેવથી આક્ષિપ્ત પુરુષકાર એમ કહેવાથી પુરુષકાર વિશેષ્ય બને છે તેથી મુખ્ય છે, અને દૈવ વિશેષણ છે તેથી ગૌણ છે. ગાથાર્થ : જે કારણથી દૈવવડે આક્ષિપ્ત તે તે પ્રકારનો પુરુષકાર હોય છે, તે કારણથી બંનેથી પણ ઉત્પન્ન થયેલા ફળને ખરેખર પુરુષકારથી થયું એમ કહેવાય છે. (પ્રસ્તુત ગાથામાં પુરુષકાર ક્યાં મુખ્ય છે તે જ બતાવવું છે, તો પણ જ્યાં દેવ મુખ્ય છે તેનો બોધ થાય તો જ તેનાથી ભિન્ન સ્થળમાં પુરુષકાર મુખ્ય છે તે બતાવી શકાય. તેથી ભાવાર્થમાં દેવનું મુખ્ય સ્થાન પણ યોજેલ છે.) ભાવાર્થ : સંસારવર્તી જીવો જ્યારે કાર્યને અનુરૂપ તે તે પ્રકારનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યવહારમાં કાર્ય પ્રયત્નથી થયું એમ કહેવાય છે, પરંતુ વાસ્તવમાં તો કાર્યને અનુકૂળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy