________________
૯૫
| વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 બીજાદિવિંશિકા ! અન્વયાર્થ :
giતહાબાદ ય અને એકાંત સ્વભાવની બાધા હોવાને કારણે તીવ્રત્તવિવૃત્તા તથાભવ્યત્વથી આલિપ્ત એવા પણ વીનાથી આ બીજાદિ તહીં તહી તે તે પ્રકારે સંતયરા નેય સાંતર અને ઇતર નિરંતર જાણવા.
ગાથાર્થ :
અને એકાંત સ્વભાવની બાધા હોવાને કારણે તથાભવ્યત્વથી આક્ષિપ્ત એવા આ બીજાદિ તે તે પ્રકારે સાતર અને નિરંતર જાણવા.
ભાવાર્થ :
બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ જીવ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે છે, કારણ કે તથાભવ્યત્વથી આક્ષિપ્ત બીજાદિ સાંતર અને નિરંતર એમ બે પ્રકારનાં હોય છે, અને જે જીવોનાં બીજાદિ સાંતર હોય છે તેઓ બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે.
સંસારવર્તી અનંતા જીવોમાંથી કોઈકને જ બીજાદિની પ્રાપ્તિ થાય છે, અને જે જીવોને બીજાદિની પ્રાપ્તિ થાય છે તેઓને પણ એક સાથે બીજાદિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ભિન્ન ભિન્ન કાળ અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં પણ થાય છે. કોઇકને આ બીજાદિ સાંતર થાય છે, એટલે કે કોઈક જીવ બીજાદિ પ્રાપ્ત કરીને અટકી જાય, પ્રમાદને વશ થઈ જાય અને પછી કેટલાક કાળનું અંતર ગયા પછી ઉત્તરભૂમિકાને પામે છે, માટે તેઓના બીજાદિ સાંતર કહેવાય. આવા જીવોને બીજાદિ પ્રાપ્ત થયા પછી પણ અંનતકાળ સુધી સંસારમાં રહી શકે છે. જ્યારે કેટલાક જીવો એવા પણ છે કે જેઓ બીજાદિની પ્રાપ્તિ થયા પછી તરત જ આંતરા વગર ઉત્તરોત્તર ભૂમિકાને પામી શકે છે. તેવા જીવોના બીજાદિ નિરંતર કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રકારે બીજાદિની પ્રાપ્તિ થવાનું કારણ તે તે જીવોનો જુદા જુદા પ્રકારનો સ્વભાવ જ છે.
અહીંયાં તે તે પ્રકારે સાંતર કહ્યું તેનો ભાવ એ છે કે, કોઈક જીવ બીજાદિ પ્રાપ્ત કરીને અટકી જાય, કોઈક બીજાદિના ક્રમથી યાવત્ ભાવધર્મને પ્રાપ્ત કરીને અટકી જાય, કોઇક જીવ બીજાદિને પ્રાપ્ત કરીને અટકી ગયા બાદ થોડા અંતરાથી ફરીથી બીજાદિ પ્રાપ્ત કરી લે, જયારે કોઇક જીવ બીજાદિને પામ્યા પછી લાંબા અંતરા પછી બીજાદિને ફરીથી પામે અને કોઇક જીવ તો ઉત્કૃષ્ટથી અનંતકાળના આંતરાથી પણ બીજાદિને ફરીથી પામે. આવા અનેક પ્રકારના આંતરાને બતાવવા માટે તે તે પ્રકારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org