SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ - અને જે કારણથી રિએક પુદ્ગલપરાવર્તમાં મોસfulી મviતા હૃતિ અનંત અવસર્પિણી થાય છે તે કારણથી) અમ આ થયે છd=બીજની પ્રાપ્તિ થયે છતે રૂચી આને=બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંતો નું જ નુiફ ત્તિ ન અનંતકાળ ઘટતો નથી એમ નથી. નામ શબ્દ વાક્યાલંકાર છે. ગાથાર્થ - જે કારણથી એક પુદ્ગલપરાવર્તમાં અનંત અવસર્પિણી થાય છે તે કારણથી, બીજની પ્રાપ્તિ થયા પછી બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંસારમાં અનંતકાળ ઘટતો નથી એમ નથી. ભાવાર્થ : બીજની પ્રાપ્તિ કર્યા પછી કોઈ જીવ અપ્રમત્તતાથી તત્ત્વને જાણવા પ્રયત્ન કરે અને તત્ત્વને પામ્યા પછી પણ અપ્રમત્તતાથી તે તત્ત્વને જીવનમાં આચરવા માટે યત્ન કરે, તો થોડા ભવમાં સંસારનો પાર પામી શકે; અને જો પ્રમાદ કરે તો, ઉત્કૃષ્ટથી અનંતકાળ પણ સંસારમાં ભટકી શકે; એ બતાવવા માટે જ આ ગાથામાં કહ્યું છે કે, બીજની પ્રાપ્તિ કર્યા પછી પણ જીવનો સંસારપરિભ્રમણનો અનંતકાળ ઘટતો નથી એમ નથી; કારણ કે એક પુદ્ગલપરાવર્તમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીઓ છે. તેથી જો જીવ પ્રમાદ કરે તો ઉત્કૃષ્ટથી અનંતકાળનો સંસાર પણ સંભવી શકે..પ-ગાં અવતરણિકા : સાતમી ગાથામાં બતાવ્યું કે બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ જીવ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે છે, તેથી તેનું કારણ શું છે? તે બતાવવા અર્થે કહે છે बीजाइया य एए तहा तहा संतरेयरा नेया । तहभव्वत्तक्खित्ता एगंतसहावबाहाए ટા बीजादिकाश्चैते तथातथा सान्तरेतरा ज्ञेयाः । तथा भव्यत्वाक्षिप्ता एकान्तस्वभावबाधया ||૮|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy