________________
૯૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uબીજાદિવિંશિકા ! बीजस्स वि संपत्ती जायइ चरिमंमि चेव परियट्टे । अच्चंतसुंदरा जं एसा वि तओ न सेसेसु ॥६॥ बीजस्यापि संपत्तिर्जायते चरम एव परिवर्ते । अत्यन्तसुन्दरा यदेषापि ततो न शेषेषु ॥६।।
અન્વયાર્થ :
રિમં િવેવ પરિચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ વીનવિ સંપત્તીબીજની પણ પ્રાપ્તિ ના થાય છે જે કારણથી વિ આ પણ=બીજની પ્રાપ્તિ પણ મāતસુંવા અત્યંત સુંદર છે તો તે કારણથી જ સેસે શેષ આવર્તમાં (બીજની પ્રાપ્તિ) થતી નથી.
ગાથાર્થ :
ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ બીજની પણ પ્રાપ્તિ થાય છે. જે કારણથી બીજની પ્રાપ્તિ પણ અત્યંત સુંદર છે તેથી શેષ આવર્તમાં બીજની પ્રાપ્તિ થતી નથી.
ભાવાર્થ
શુદ્ધધર્મના રાગરૂપ બીજની પ્રાપ્તિ પણ જીવની અત્યંત સુંદર અવસ્થા છે, કેમ કે તે જ ક્રમસર વૃદ્ધિ પામીને મોક્ષમાં વિશ્રાંત પામે છે. તેથી ચરમાવર્ત સિવાય અન્ય આવર્તમાં તેની પ્રાપ્તિ થતી નથી..પ-૬ll
અવતરણિકા :
છઠ્ઠી ગાથામાં બતાવેલ કે ધર્મરાગરૂપ બીજની પ્રાપ્તિ પણ અત્યંત સુંદર છે તેથી ચરમાવર્તમાં તે થાય છે, ત્યાં કોઈ એવું માની બેસે કે, આ બીજની પ્રાપ્તિ થયા પછી હવે જીવ સંસારમાં અનંતકાળ નહીં રહે તો એ વાત બરાબર નથી, તે બતાવતાં કહે છે
न य एयम्मि अणंतो जुज्जइ नेयस्य नाम कालु त्ति । ओसप्पिणी अणंता हुंति जओ एगपरियट्टे ॥७॥ न चैतस्मिन्ननन्तो युज्यते नैतस्य नाम काल इति । अवसर्पिण्यो नन्ता भवन्ति यत एकपरिवर्ते ॥७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org