SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ બીજાદિવિંશિકા જી અન્વયાર્થ : તન્નો ત્યા૨પછી ગુરુસંયોગાદિની પ્રાપ્તિ પછી મુદ્દેસળÍä સુદેશના આદિ વડે ના માવધમ્મસંપત્તી જે ભાવધર્મની પ્રાપ્તિ દ્દોરૂ થાય છે તે તે હૈં અહીં= સંસારમાં નિયમા નિયમથી પરમ‚નવસાદમાં તમ્ પરમફળનું પ્રસાધક એવુ ફળવિજ્ઞેયં જાણવું. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ ઃત્યાર પછી ગુરુસંયોગ આદિની પ્રાપ્તિ પછી સુદેશના આદિ વડે જે ભાવધર્મની પ્રાપ્તિ થાય છે, તે અહીં સંસારમાં નિયમથી પરમફળનું પ્રસાધક એવું ફળ જાણવું. ભાવાર્થ :પુષ્પના સ્થાને ગુરુસંયોગાદિ પ્રાપ્ત કર્યા પછી સદ્ગુરુ પાસેથી જીવને યોગ્યતાને અનુરૂપ સુદેશનાદિની પ્રાપ્તિ થાય છે. કોઇ વ્યક્તિ વળી કષ-છેદ આદિ દ્વારા સત્શાસ્ત્રોની પરીક્ષા કરીને નિર્ણય કરે કે, આ શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે, અને ત્યારપછી તે શાસ્ત્રના વચન અનુસાર સદ્ધર્મનો બોધ કરે છે, તો તેને પણ તે શાસ્ત્રોથી ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. આવી સત્શાસ્ત્રો દ્વારા થતી ભાવધર્મની પ્રાપ્તિને સુદેશનાદિમાં આદિ પદથી ગ્રહણ કરેલ છે. ૯૨ સુદેશનાદિથી શાસ્ત્રોના સમ્યક્ તત્ત્વના બોધરૂપ ભાવધર્મની પ્રાપ્તિ અધિગમ સમ્યક્ત્વરૂપ છે. ધર્મના બીજનું ફળ સમ્યક્ત્વ છે. જીવમાં ઉત્પન્ન થયેલો ધર્મરાગ બીજાદિના ક્રમથી વૃદ્ધિ પામે છે, અને ત્યારપછી જ્યારે જીવ તત્ત્વની તીવ્ર જિજ્ઞાસાપૂર્વક સુદેશનાદિ સાંભળે છે, ત્યારે તેને સમ્યક્ત્વરૂપ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે, અને તે સમ્યગ્બોધ ઉત્તરમાં ઉચિત આચારણાઓ દ્વારા નિયમથી પરમફળરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આથી જ સમ્યક્ત્વરૂપ ફળને પરમફળરૂપ મોક્ષનું પ્રસાધક કહેલ છે. અહીં વિશેષ એ છે કે સદ્ધર્મને જાણવા માટેના પ્રયત્નથી ભાવધર્મની પ્રાપ્તિ થાય છે એ ફળસ્વરૂપ છે. જેમ બીજને વાવવાથી ક્રમે કરીને ફળની પ્રાપ્તિ થાય છે અને ફળને આરોગવાથી શરીરની પુષ્ટિ આદિરૂપ બીજું ફળ મળે છે, તેમ ભાવધર્મની પ્રાપ્તિસ્વરૂપ ફળથી પણ મોક્ષરૂપી પરમફળ પ્રાપ્ત થાય છે.IIN-II Jain Education International અવતરણિકા : આ રીતે બીજાદિના ક્રમથી ભાવધર્મની પ્રાપ્તિ બતાવીને હવે બીજની પ્રાપ્તિ પણ ચરમ આવર્તમાં જ થાય છે, એમ બતાવે છે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy