________________
60
બીજાદિવિંશિકા / વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વેષણા અર્થાત્ શોધવાની ઇચ્છા પ્રગટે છે, જે કાષ્ઠ સ્થાને છે. શુદ્ધધર્મને વારંવાર કરવાની ઇચ્છા થયા પછી વિચારક જીવ વિચારે છે કે “ધર્મપ્રાપ્તિના ઉપાયો શું છે તે જાણવા જોઇએ” અને તેથી ધર્મપ્રાપ્તિના ઉપાયરૂપ સદ્દગુરુને મેળવવાની તીવ્ર અભિલાષા તેને પ્રગટે છે, તે કાષ્ઠસ્થાને જાણવી.
અહીં વિવિધ પ્રકારના ઉપાયોની અન્વેષણા એટલા માટે કહેલ છે કે, કોઈ વ્યક્તિ ધર્મપ્રાપ્તિના ઉપાયરૂપે સદ્દગુરુને શોધવા માટે વિચાર કરે છે, જયારે કોઈક તેના ઉપાયરૂપે ધર્મવાદો ક્યાં થાય છે તેની વિચારણા કરે છે, કોઇક વ્યક્તિ વળી તત્ત્વને બતાવનારાં કયાં શાસ્ત્રો છે તેની ઉપાયરૂપે વિચારણા કરે છે. આ સર્વે વિવિધ પ્રકારના ઉપાયોની અન્વેષણા તે કાષ્ઠરૂપ છે.આપ-all
અવતરણિકા -
બીજ, અંકુર અને કાષ્ઠના ઉત્તરભાવી પાંદડાં અને પુષ્પસ્થાનીય ધર્મરાગને બતાવે છે
तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्ती पुप्फं गुरुसंजोगाइरूवं तु ॥४॥ तेषु प्रवृत्तिश्च तथा चित्रा पत्रादिसदृशिका भवति । तत्संपत्तिः पुष्पं गुरुसंयोगादिरूपं तु ॥४॥
અન્વયાર્થ
૨ અને તેનું તેઓમાં=ધર્મપ્રાપ્તિના ઉપાયોમાં તહાં તે પ્રકારની ચિત્તા પવિત્તી ચિત્રપ્રવૃત્તિ પાસ પત્રાદિ પાંદડાદિ સદેશો છે, તુવળી ગુરુસંગો ફર્વ ગુરુસંયોગાદિરૂપ તત્કંપત્તી તેની ધર્મપ્રાપ્તિના ઉપાયોની પ્રાપ્તિ પુખં પુષ્પ છે.
ગાથાર્થ -
અને ધર્મપ્રાપ્તિના ઉપાયોમાં તે પ્રકારની ચિત્રપ્રવૃત્તિ પાંદડાદિ સદશ છે, વળી ગુરુસંયોગાદિરૂપ ધર્મપ્રાપ્તિના ઉપાયોની પ્રાપ્તિ પુષ્પ છે.
ભાવાર્થ -
ધર્મપ્રાપ્તિના ઉપાયોની અન્વેષણા થયા પછી વિચારક જીવ તે ઉપાયોને મેળવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org