SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કહેલ છે; તેનો ભાવ એ લાગે છે કે લગભગ જીવોને તે જ ક્રમથી ધર્મનો વિકાસ થાય છે. કેઈક વાર મરુદેવામાતા જેવા જીવોને સીધો સમતાનો પરિણામ સ્પર્શે છે, પરંતુ તેવા જીવોને છોડીને બાકીના જીવોને આચરણાત્મક શુદ્ધધર્મ બીજાદિક્રમથી જ પેદા થાય છે; તેવો અર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે.પ-૧ અવતરણિકા : સૌ પ્રથમ બીજને બતાવે છે बीजं वि मस्स णेयं दठ्ठणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा ॥२॥ बीजमप्यस्य ज्ञेयं दृष्ट्वा एतत्कारिणो जीवान् । बहुमानसंगतया शुद्धप्रशंसया करणेच्छा ॥२।। અન્વયાર્થ : રિો આને કરનારા=ધર્મને કરનારા નીવે જીવોને હgli જોઇને વઘુમા સંય બહુમાનથી યુક્ત એવી સુદ્ધપસંસારું શુદ્ધ પ્રશંસાપૂર્વક ઉછી કરવાની ઇચ્છા વીનં વિમરસ આનું ધર્મનું બીજ જ યં જાણવું. જ વીનં વિપક્ષમાંવિ શબ્દ એવકાર અર્થમાં અને વીનં વિપછીખૂશબ્દ અલાક્ષણિક ગાથાર્થ : ધર્મને કરનારા જીવોને જોઇને બહુમાનથી યુક્ત એવી શુદ્ધ પ્રશંસાપૂર્વક કરવાની ઇચ્છા, ધર્મનું બીજ જ જાણવું. ભાવાર્થ : ધર્મ કરનારા જીવોને જોઇને ચિત્તમાં ધર્મનો રાગ પેદા થાય છે. આ રાગના કારણે જ ધર્મ કરનારા જીવો ઉપર હૈયામાં બહુમાન ઉત્પન્ન થાય છે.આ બહુમાનપૂર્વક જે પ્રશંસાના ઉદ્ગારો નીકળે, તે જ શુદ્ધ પ્રશંસા છે, પરંતુ અન્ય કોઇની પ્રશંસા સાંભળીને વિચાર્યા વિના કે સહસા જે પ્રશંસા થાય તે શુદ્ધ પ્રશંસા નથી. આ શુદ્ધ પ્રશંસાપૂર્વક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy