________________
૮૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
}} {{qfdfgtor પસની !!
અવતરણિકા :
ચોથી વિંશિકાની ૨૦મી ગાથામાં કહ્યું કે ચરમાવર્તમાં ભવ્ય જીવને ધર્મરાગ પ્રગટ થાય છે, અને ધર્મરાગથી કરાતો ધર્મ શુદ્ધ થાય છે. હવે તે ધર્મ જીવમાં કયા ક્રમથી પ્રગટ થાય છે તે બતાવતાં કહે છે
ઇબીજાદિવિંશિકા જી
बीजाइकमेण पुणो जायइ एसुत्थ भव्वसत्ताणं । नियमा, ण अन्नहावि हु इठ्ठफलो कप्परुक्खु व्व ॥१॥ बीजादिक्रमेण पुनर्जायते एषोत्र भव्यसत्त्वानाम् 1 नियमान्नान्यथापि खलु इष्टफलः कल्पवृक्ष इव ॥१॥
અન્વયાર્થ :
ફત્હ અહીંયાં=ચ૨માવર્તમાં પ્રભુ આ=ધર્મ પુળો વળી મવ્વસત્તાળુંભવ્ય જીવોને ત્રીના મેળ બીજાદિના ક્રમથી હૈં જ વ્પવુ ∞ કલ્પવૃક્ષ જેવા ફેંકુલો ઇષ્ટફલવાળો નિયમા નિયમથી નાયરૂ થાય છે, ળ અન્ના વિ પણ અન્યથા થતો નથી=પણ બીજાદિક્રમને છોડીને થતો નથી.
Jain Education International
ગાથાર્થ :ચરમાવર્તમાં વળી ધર્મ ભવ્ય જીવોને બીજાદિના ક્રમથી જ કલ્પવૃક્ષ જેવા ઇષ્ટફલવાળો નિયમથી થાય છે, પણ બીજાદિક્રમને છોડીને થતો નથી.
ભાવાર્થ :
ચ૨માવર્તમાં જ ભવ્ય જીવને ધર્મ પ્રગટે છે, પરંતુ ચ૨માવર્તના પ્રારંભમાં જ બધાને પ્રગટે એવો નિયમ નથી. આ ધર્મ સંસારમાં જેમ કલ્પવૃક્ષ ભૌતિક ઇષ્ટફલને આપનાર છે તેમ સર્વ ઇષ્ટફલને આપનાર છે, કારણ કે જીવને કષાયોના ઉપશમભાવથી જ પ્રારંભિક ધર્મ પ્રગટે છે,અને તેના દ્વારા પુણ્યપ્રકૃતિની અને અંશે અંશે ઉપશમભાવની પ્રાપ્તિરૂપ ઈટલ પ્રાપ્ત થાય છે, જે સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. “આ ધર્મ બીજાદિના ક્રમથી જ પેદા થાય છે, તે સિવાય નથી થતો’ તેમ
For Personal & Private Use Only
www.jainelibrary.org