SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૫ (૬) “સંવરતત્વ”નું વર્ણન (ગાથા-૨૫થી ૩૩) અવતરણિકા : આશ્રવના ભેદો બતાવ્યા પછી હવે સંવરના પ૭ ભેદો બતાવે છે – ગાથા : समिई गुत्ती परिसह, जइधम्मो भावणा चरित्ताणि । पण ति दुवीस दस बार, पंचभेएहिं सगवना ।।२५।। ગાથાર્થ : સમિતિ, ગુપ્તિ, પરિષહ-પરિષહ જય, યતિધર્મ, ભાવના, ચારિત્ર, ૫, ૩, ૨૨, ૧૦, ૧૨, ૫ ભેદ વડે સત્તાવન ભેદ છે-સંવરના સત્તાવન ભેદ છે. ર૫ા. ભાવાર્થ:સંવરના ભેદોઃ સમિતિ=પ સમિતિ, ગુપ્તિ=૩ ગુપ્તિ, પરિષહ=૨૨ પરિષહનો જય, યતિધર્મ= ૧૦ પ્રકારનો યતિધર્મ, ભાવના=૧૨ ભાવના અને ચારિત્ર=પ પ્રકારનું ચારિત્ર એમ સંવરના ૫૭ ભેદો છે. સંયમજીવનની મર્યાદા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે. તેથી જે સાધુ સંયમગ્રહણથી માંડીને ત્રણ ગુપ્તિવાળા હોય, અને સંયમના પ્રયોજન અર્થે કોઈ પ્રવૃત્તિ કરવી હોય ત્યારે પાંચ સમિતિમાં ઉદ્યમ કરતા હોય, તે મુનિ સંવરભાવવાળા છે, અને સમિતિ-ગુપ્તિમાં ઉદ્યમ કરતા સાધુ જેમ ઉત્તરોત્તર ગુપ્ત ગુપ્તતર થાય છે, તેમ તેમ સંવર અધિક અધિક થાય છે. વળી, તે સંવરના અતિશય અર્થે બાવીસ પ્રકારના પરિષદમાંથી જો કોઈ પરિષહ આવે અને સાધુ જો તે પરિષહનો જય ન કરી શકે તો સંયમની હાનિ થાય છે, અને જે સાધુ શાસ્ત્રવચન અનુસાર ઉચિત યત્ન કરીને ઉપસ્થિત પરિષહનો જય કરે તો સંવરમાં અતિશયતા થાય છે. તેથી પરિષહજયને પણ સંવરના ભેદમાં ગણેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy