SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ| ગાથા-૨૫, ૨૬ વળી, સમિતિ-ગુપ્તિવાળા સાધુ ૧૦ પ્રકારના યતિધર્મમાં ઉદ્યમ કરે છે. તેનાથી ગુપ્તિનો અતિશય થાય છે, તેથી દસ પ્રકારના યતિધર્મને પણ સંવરના ભેદમાં ગ્રહણ કરેલ છે. વળી, સમિતિ-ગુપ્તિવાળા મુનિ આત્માને તત્ત્વથી ભાવિત કરવા અર્થે બાર ભાવનાઓમાં ઉદ્યમ કરે છે. તેનાથી પણ ગુપ્તિમાં અતિશયતા આવે છે, માટે બાર ભાવનાઓને પણ સંવરના ભેદમાં ગ્રહણ કરેલ છે. વળી, સામાયિક આદિ પાંચ ચારિત્રોમાંથી પણ ઉત્તર ઉત્તરનાં ચારિત્રો ગુપ્તિમાં અતિશયતાને કરનારાં છે. તેથી પાંચ ચારિત્રોને પણ સંવરના ભેદમાં ગ્રહણ કરેલ છે. આમ સમિતિના પાંચ ભેદ, ગુપ્તિના ત્રણ ભેદ, પરિષહજયના ૨૨ ભેદ, યતિધર્મના દસ ભેદ, ભાવનાના બાર ભેદ, અને ચારિત્રના પાંચ ભેદ એમ કુલ સંવરના સત્તાવન ભેદ ગ્રહણ કરેલ છે. રિપો અવતરણિકા : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામો બતાવે છે – ગાથા : इरिया भासेसणादाणे, उच्चारे समिईसु अ । માની વયત્તી, વાયત્તી તહેવ ય શારદા ગાથાર્થ : સમિતિઓમાં ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમતનિશ્મિવેણા અને ઉચ્ચારપાસવણ પારિષ્ઠાપનિકા સમિતિ એમ પાંચ ભેદો છે અને મન, વચન અને કાયમુતિ એમ ત્રણ ગુપ્તિના ભેદો છે. ||રા ભાવાર્થ :પાંચ સમિતિ :(i) ઇર્યાસમિતિ : કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ ગમનાગમનમાં જીવરક્ષાના અર્થે સાધુની યતનાપૂર્વકની ચેષ્ટા ઇર્યાસમિતિ છે. (i) ભાષાસમિતિ - સંયમની વૃદ્ધિ અર્થે વચનપ્રયોગ ઉપયોગી જણાય ત્યારે સંયમની મર્યાદાનું સ્મરણ કરીને જે વચનપ્રયોગ કરાય તે ભાષાસમિતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy