SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૨૬ છે, અને બોલવાની સહજ ઇચ્છા થઈ અને મોક્ષનું કે સંયમનું પ્રયોજન જેનાથી સિદ્ધ થતું ન હોય તેવો વચનપ્રયોગ તે ભાષાસમિતિથી વિપરીત પ્રવૃત્તિ છે. (iii) એષણામિતિ :- સાધુજીવનમાં નિર્દોષ આહાર, વસતિ આદિ માટે શાસ્ત્રવિધિ અનુસાર જે ગવેષણા કરવામાં આવે તે એષણાસિમિત છે, અને શાસ્ત્રવચનના સ્મરણ વગર આહાર, ઉપધિ કે વસતિની યાચના કરવામાં આવે તે એષણામિતિથી વિરુદ્ધ એવી અસમિતિ છે. (iv) આદાનભંડમત્તનિક્બિવેણા સમિતિ :- સાધુના ઉપકરણરૂપ ભાંડ અને માત્રાને યતનાપૂર્વક લેવામાં અને મૂકવામાં આવે તે આદાનભંડમત્તનિક્બિવેણા સમિતિ છે. (v) ઉચ્ચારપાસવણ સમિતિ ઃ- ઉચ્ચાર=મળ-મૂત્રાદિ વિધિપૂર્વક પરઠવવામાં આવે તે ઉચ્ચાર સમિતિ=પારિષ્ટાપનિકા સમિતિ છે. ત્રણ ગુપ્તિ : - (i) મનોગુપ્તિ :- આર્ત્ત-રૌદ્રધ્યાન કે આર્ત્ત-રૌદ્રધ્યાનને અનુકૂળ એવા સંસા૨વર્તી પદાર્થોનું ચિંતવન તે મનની અગુપ્તિ છે, અને તે ભાવોથી આત્માને વિમુખ કરવા માટે ભગવાનના વચન અનુસાર ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં યત્ન કરવામાં આવે અથવા ધર્મધ્યાન કે શુક્લધ્યાનની નિષ્પત્તિના ઉપાયભૂત અધ્યયન આદિથી આત્માને વાસિત ક૨વામાં આવે એવી મનની જે પ્રવૃત્તિ તે મનોગુપ્તિ છે. (ii) વચનગુપ્તિ :- સંયમના પ્રયોજન સિવાય બોલવાને અભિમુખ અંતરંગ મનોવૃત્તિ ન ઊઠે તે પ્રકારના ગુપ્ત ભાવોને કારણે વચનપ્રયોગની અપ્રવૃત્તિ તે વચનગુપ્તિ છે, અથવા સંયમના પ્રયોજનથી વચનપ્રયોગ કરતી વખતે સંયમના પ્રયોજન સિવાયનો અન્ય વચનપ્રયોગ ન થાય તે પ્રકારનો અંતરંગ યતનાનો પરિણામ તે વચનગુપ્તિ છે. (iii) કાયગુપ્તિ :– કાર્યોત્સર્ગકાળમાં કાયાની ચેષ્ટાની નિવૃત્તિ હોય અને મન કાયાને સ્થિર કરીને સંયમભાવને અભિમુખ જવા પ્રવર્તતું હોય તો તે કાયગુપ્તિ છે, અથવા સંયમજીવનની સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં કાયાની ચેષ્ટા ઉપર નિયંત્રણ હોય, જેનાથી સંયમની વૃદ્ધિનો વ્યાઘાત થાય તેવો મનોવ્યાપાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy