SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ/ ગાથા-૨૨-૨૩-૨૪ (૧) ભગવાને કહેલા કર્તવ્ય વિધિમાં પ્રમાદને વશ પ્રવૃત્તિ ન કરે તે પોતાના હિતની આકાંક્ષાનો અભાવ છે, તે સ્વઅનવકાંક્ષપ્રત્યયિકક્રિયા છે. (૨) ઉચિત ક્રિયાને નહિ કરતો, પરની પણ આકાંક્ષા રાખતો નથી=બીજા મને ઠપકો આપશે, તેની પણ ચિંતા કરતો નથી, તે પરઅનવકાંક્ષપ્રત્યયિકક્રિયા છે. (૨૧) ઘણો =પ્રાયોગિકીક્રિયા - આત્માથી અધિષ્ઠિત એવા કાયાદિનો વ્યાપાર તે પ્રયોગક્રિયા છે, અને તે કાય, વચન અને મનયોગથી ત્રણ પ્રકારનો છે. ધાવન-વલ્સનાદિ (દોડવા, કૂદવારૂપ) કાયવ્યાપારરૂપ છે, હિંસાનો વાવ્યાપાર, કઠોર વાવ્યાપાર કે મૃષાદિ વાવ્યાપારરૂપ છે. ઇર્ષ્યા, અભિમાનાદિ મનોવ્યાપારરૂપ છે. (૨૨) સમુદાન-સામુદાનિકીક્રિયા:- તપસ્વીઓને અપૂર્વ અપૂર્વ વિરતિ પ્રત્યે જે આભિમુખ્ય ભાવ થાય છે, તે સમાદાનક્રિયા છે. વળી, અન્યના મતે જેનાથી વિષયો ગ્રહણ થાય તે સમાધાન એટલે ઇન્દ્રિયો અને તેને ઉપઘાત કરનારી ક્રિયા તે સમાદાનક્રિયા. સમાદાનક્રિયા એટલે જે વિરતિની પરિણતિ પોતાને પ્રાપ્ત થઈ હોય તેનાથી ઉપર ઉપરના વિરતિના પરિણામને પ્રાપ્ત કરવાની સાધુની જે ક્રિયા તે સમાદાનક્રિયા કહેવાય. વળી, અન્ય મત અનુસાર ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સમાદાન થાય છે અર્થાત્ ગ્રહણ થાય છે, તેથી ઇન્દ્રિય સમાદાન છે; અને તે ઇન્દ્રિયોનો ઉપઘાત થાય તેવી ક્રિયા કરવામાં આવે તો તે સમાદાનક્રિયા છે. સમ+આદાનઃગ્રહણ કરવું. (૨૩) પિન્નરાગની ક્રિયા:- રાગને વશ થઈને જે જોવા આદિની ક્રિયા થાય તે રાગની ક્રિયા છે. (૨૪) રોસ=ષિકીક્રિયા - અનિચ્છનીય પદાર્થને જોઈને દ્વેષને વશ થઈને જે પ્રકારની મુખાદિની ચેષ્ટા કરવામાં આવે તે દ્વષિકીક્રિયા છે. (૨૫) રૂરિયાવદિયા ઇર્યાપથિકીક્રિયા - બધ્યમાન અને વેદ્યમાન એવો ઇર્યાપથ= એક સમયનું કર્મ બંધાય અને બીજા સમયે વેદન થાય તે ઇર્યાપથ. જે સાધુઓ મોહના પરિણામથી પર છે, કેવળ શરીરની ગમનાદિ ચેષ્ટાને કારણે એક સમયવાળું કર્મ બાંધે છે ઇર્યાપથિકીક્રિયા છે. આ ક્રિયા ૧૧, ૧૨ અને ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા મહાત્માઓને હોય છે. ll૨૨-૨૩-૨૪ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy