SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૧, ૨૨-૨૩-૨૪ વિષયને અવલંબીને મન-વચન અને કાયાના યોગો પ્રવર્તતા હોય અને તેમાં ઉપાદેય બુદ્ધિ થાય ત્યારે તે અશુભ આશ્રવ છે. સામાન્ય રીતે પાંચેય ઇન્દ્રિયો વિષયોનો બોધ કરવાનું સાધન છે. ઇન્દ્રિયો સાથે વિષયોનો સંબંધ થાય ત્યારે આત્માને જ્ઞાન થાય છે, તોપણ સંસારી જીવો ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટઅનિષ્ટની બુદ્ધિ કરીને અશુભ આશ્રવ કરે છે. જો આ પાંચેય ઇન્દ્રિયો ગુણની પ્રાપ્તિ માટે વ્યાપારવાળી હોય તો શુભ આશ્રવ થાય છે. જેમ ભગવાનની મૂર્તિ જોઈને, ભગવાનનાં વચનોનું શ્રવણ કરીને શુભ ભાવો થાય ત્યારે શુભ આશ્રવ થાય છે. (૨) ચાર કષાયો - કષાયો ક્રોધ, માન, માયા અને લોભના પરિણામરૂપ છે, અને તેના દરેકના અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર મળીને કુલ સોળ ભેદો થાય છે. તે સર્વ કષાયો કર્મબંધનાં કારણો છે, તેથી તે આશ્રવરૂપ છે. મનવચન અને કાયાના પ્રશસ્ત કષાયો શુભઆશ્રવરૂપ છે અને અપ્રશસ્ત કષાયો અશુભઆશ્રવરૂપ છે. (૩) પાંચ અવ્રત:- પ્રાણાતિપાત આદિ પાંચ અવ્રત છે. તેથી સંસારી જીવો સંસારની પ્રવૃત્તિમાં વર્તતા હોય ત્યારે હિંસાની પ્રવૃત્તિ, મૃષાવાદની પ્રવૃત્તિ, સ્તેયની પ્રવૃત્તિ કે અબ્રહ્મ સેવનની પ્રવૃત્તિ હોય કે પરિગ્રહ વધારવા માટે યત્નવાળા હોય તે સર્વ અશુભ આશ્રવના પરિણામો છે. (૪) ત્રણ યોગો :- મન-વચન અને કાયાના યોગો મોક્ષમાર્ગને અનુકૂળ વ્યાપારવાળા હોય તો શુભ આશ્રવ થાય છે. મન-વચન અને કાયાના યોગો મોક્ષમાર્ગને પ્રતિકૂળ વ્યાપારવાળા હોય તો અશુભ આશ્રવ થાય છે. (૫) પચ્ચીસ ક્રિયાઓ - પચ્ચીસ પ્રકારની ક્રિયાથી જીવમાં કર્મનું આગમન થાય છે, તેથી પચ્ચીસ ક્રિયાને આશ્રવ કહેલ છે. આમ કુલ ૪૨ આશ્રયસ્થાનો છે. ૨૧ અવતરણિકા : પૂર્વગાથામાં આશ્રવના બેંતાલીસ ભેદોમાંથી પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ યોગો અને પચ્ચીસ ક્રિયાઓ બતાવી. હવે પચ્ચીસ ક્રિયાઓના નામો ગાથા-૨૨થી ૨૪માં બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy