SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૧ ૭૭ આશયથી પૂજવાની, યતનાપૂર્વક લેવા-મૂકવાની ક્રિયા સંયોગો અનુસાર કરતો હોય ત્યારે શુભ આશ્રવ થાય છે. વળી ભગવાનની ભક્તિ આદિ શુભ અનુષ્ઠાન કરતો હોય ત્યારે પણ કાયિક શુભ આશ્રવ થાય છે. આ વાચિક શુભ આશ્રવ :- ગૃહસ્થ અવસ્થામાં શ્રાવક જીવનમાં ક્યાંય સાવદ્ય પ્રવૃત્તિ ન થાય તે રીતે વાચિક પ્રયોગો કરતો હોય, પોતાના જીવનમાં કાંઈ પણ ખોટું બોલવાનો પ્રસંગ ન આવે તે માટે યત્ન કરતો હોય અને કોઈના પ્રત્યે કઠોરભાવ ન થાય તે રીતે યત્ન કરતો હોય તેવા વાચિક પ્રયોગો શુભ આશ્રવ છે. વળી, શ્રાવક ભગવાનની ભક્તિ આદિ શુભ અનુષ્ઠાન કરતો હોય ત્યારે ભગવાનના ગુણગાનમાં ઉપયોગ હોવાથી વાચિક શુભ આશ્રવ થાય છે. માનસિક શુભ આશ્રવ :- શ્રાવક ગૃહસ્થઅવસ્થામાં કોઈપણ જીવને લેશ પણ પીડા ન થાય અને તેનું અહિત ન થાય, કોઈપણ પ્રકારના આરંભસમારંભનું ચિંતવન ન થાય અને કોઈપણ જીવ પ્રત્યે ઇર્ષ્યા-અસૂયાઆદિ ભાવો ન થાય તે પ્રકારનું માનસ ચિંતવન કરતો હોય તો તે માનસિક શુભ આશ્રવ છે. વળી, શ્રાવક ભગવાનના વચન અનુસાર તત્ત્વનું ચિંતવન કરતો હોય તો તે માનસિક શુભ આશ્રવ છે. તઉપરાંત ધર્મબુદ્ધિથી સુપાત્રદાન કે વિવેકપૂર્વકનું અનુકંપાદાન એ પણ શુભ આશ્રવ છે. વળી, દાન, શીલ, તપ અને શુભ ભાવથી આત્માને ભાવિત કરવાની ક્રિયા પણ શુભ આશ્રવ છે. મન-વચન અને કાયાના યોગો મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવર્તતા હોય ત્યારે શુભ આશ્રવ થાય છે, અને આ શુભ આશ્રવ પુણ્યબંધનું કારણ છે, અને મનવચન અને કાયાના યોગો સંસારમાર્ગને અનુકૂળ અને મોક્ષમાર્ગને પ્રતિકૂળ વર્તતા હોય ત્યારે અશુભ આશ્રવ થાય છે, અને આ અશુભ આશ્રવ પાપબંધનું કારણ છે. આવાં આશ્રયસ્થાનો બેંતાલીસ છે. આશ્રવનાં ભેદો : આશ્રવનાં ૪૨ ભેદો નીચે પ્રમાણે છે – (૧) પાંચ ઇન્દ્રિયો - પાંચ ઇન્દ્રિયોના કુલ ૨૩ વિષયો છે, તેમાંથી કોઈપણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy