SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૧ આશ્રવ પણ સંસારના ફળવાળો છે એમ જાણીને શુભ આશ્રવમાં પ્રવર્તશે નહિ, પણ શુભ આશ્રવના ઉચ્છેદ માટે પ્રયત્ન કરશે. માટે ક્રમ પ્રમાણે શુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ નહિ બતાવતાં અશુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ બતાવેલ છે. (I) અશુભઆશ્રવ : કાયિક અશુભઆશ્રવ - હિંસા, સ્તેય, અબ્રહ્માદિ કાયિક અશુભ આશ્રવ છે. વાચિક અશુભઆશ્રવ - સાવદ્ય બોલવું, જૂઠું બોલવું, કઠોર બોલવું અને પશુન્ય આદિ બોલવું તે વાચિક અશુભ આશ્રવ છે. પશુન્ય અર્થાત્ પર પ્રત્યેની પ્રીતિની શૂન્યતાથી અન્યના પરોક્ષ એવા સત્ય કે અસત્ય દોષોને કોઈક આગળ કહેવા તે વાચિક અશુભ આશ્રવ છે. કોઈકના હિતના આશ્રયથી ઉચિત સ્થાને તેના દોષો કહેવામાં આવે, જેથી તેના હિતનું રક્ષણ થાય તેવી સંભાવના દેખાય તો તે પૈન્ય નથી, પણ હિતની ચિંતામાંથી ઉઠેલી વાચિક પ્રવૃત્તિ છે, તેથી શુભ આશ્રવ છે. માનસિક અશુભઆશ્રવ - અભિઘા, વ્યાપાદ, ઇર્ષ્યા, અસૂયા ઇત્યાદિ માનસ વિચારણા માનસિક અશુભ આશ્રવ છે. અભિઘા અર્થાત્ જીવનાં અભિદ્રોહનું ચિંતવન. જેમ “આ શત્રુ મરે તો હું સુખેથી જીવું” એ પ્રમાણે ચિંતવન કરવું એ અભિઘા છે. વ્યાપાર અર્થાત્ બીજાના નાશને અનુકૂળ એવું આરંભનું ચિંતવન. જેમ “આ પુરુષનો આ શત્રુ છે તો હું તેને તેના પ્રત્યે પ્રકોપિત કરું, જેથી તેનો નાશ થાય” એ પ્રમાણે ચિંતવન કરવું એ વ્યાપાદ છે. ઇર્ષ્યા, અસૂયા ઇત્યાદિ માનસ વિચારણા પણ માનસિક અશુભ આશ્રવ છે. (II) શુભ આશ્રવ : કાયિક, વાચિક અને માનસિક ત્રણે પ્રકારના અશુભ આશ્રવથી વિપરીત એવા કાયિક, વાચિક અને માનસિક ત્રણ પ્રકારના શુભ આશ્રવ છે. કાયિક શુભ આશ્રવ :- શ્રાવક ગૃહસ્થ હોય છતાં જીવનમાં કેમ આરંભસમારંભ ઓછો થાય તે રીતે સંસારની પ્રવૃત્તિ કરતો હોય તો કાયિક શુભ આશ્રવ થાય. જેમ કોઈ શ્રાવક સંસારમાં સાંસારિક પ્રવૃત્તિકાળ દરમ્યાન જીવરક્ષાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy