SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૧ આશ્રવ એટલે કર્મબંધને અનુકૂળ જીવની પરિણતિ, અને આ પરિણતિથી જીવમાં કર્મનું આગમન થાય છે, જેના ફળરૂપે નવા નવા જન્મની પ્રાપ્તિ થાય છે અને સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. આશ્રવના બે ભેદ છે : (૧) શુભ આશ્રવ, (૨) અશુભ આશ્રવ. શુભ આશ્રવથી ૪૨ પ્રકારની પુણ્યપ્રકૃતિમાંથી યથાયોગ્ય પુણ્યપ્રકૃતિ બંધાય છે, અને અશુભ આશ્રવથી ૮૨ પ્રકારની પાપપ્રકૃતિમાંથી યથાયોગ્ય પાપપ્રકૃતિ બંધાય છે. શુભ કે અશુભ આશ્રવ મન, વચન અને કાયાને અવલંબીને થતી જીવની પરિણતિરૂપ છે. તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે આશ્રવનું સ્વરૂપ : કાયિકકર્મ, વાચિકકર્મ અને માનસિકકર્મ એમ ત્રણ પ્રકારનો યોગ છે, અને તે ત્રણ યોગો આશ્રવ છે. ફાયવીર્મનઃર્મ યોઃ I (તત્ત્વાર્થસૂત્ર ૩. ૬, સૂ. ૨) અને સગાસંવા ! (તસ્વાર્થસૂત્ર . ૬, સૂ. ૨) તત્ત્વાર્થભાષ્ય પ્રમાણે કાયયોગ, વાદ્યોગ અને મનોયોગનું સ્વરૂપઃ કાય અને આત્મપ્રદેશનો પરિણામ ગમનાદિ ક્રિયાનો હેતુ કાયયોગ છે. ભાષાયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશનો પરિણામ એ વાક્યોગ છે. મનોયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશનો પરિણામ એ મનોયોગ છે. આ ત્રણે યોગોના પરિણામ આશ્રવરૂપ છે અને આ ત્રણેય યોગોમાંથી દરેક યોગના બે પ્રકારો છે : (૧) શુભ અને (૨) અશુભ. જે શુભયોગ છે તે પુણ્યનો આશ્રવ છે અને જે અશુભયોગ છે તે પાપનો આશ્રવ છે. શુભ-અશુભ બે ભેદવાળો આશ્રવ છે, એમ કહ્યા પછી ભાષ્યકાર અશુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ બતાવે છે; પણ ક્રમ પ્રમાણે શુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું નહિ. તેનું પ્રયોજન સ્પષ્ટ કરતાં ટીકાકાર કહે છે કે જો પ્રથમ અશુભ આશ્રવ બતાવવામાં આવે તો જીવને અશુભ આશ્રવ દુઃખના ફળવાળો છે એવું જ્ઞાન થવાથી સંવેગ ઉત્પન્ન થાય છે અર્થાત્ કર્મરહિત એવી મુક્ત અવસ્થાની પ્રાપ્તિની ઇચ્છા થાય છે, અને સંવેગને પામેલો શ્રોતા શુભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy