SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૨૦-૨૧ વચનમાં તેઓની શ્રદ્ધા મેરુ જેવી સ્થિર હોય છે. આવા જીવો કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય તો તત્ત્વ પ્રત્યેનો રાગ બલવાન વિદ્યમાન હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ ક્વચિત્ પ્રમાદવશ પ્રવૃત્તિ થાય તોપણ તત્ત્વનો બલવાન રાગ હોવાથી પા૫પ્રકૃતિઓ શિથિલ મૂળવાળી બંધાય છે. તેથી આવા જીવોને બંધાતું પુણ્ય ઉપાદેય છે; કેમ કે અભ્યુદયનું કારણ છે અને જે અભ્યધ્યનું કારણ નથી તેવું પુણ્ય હેય છે, અને સર્વ પ્રકારનું પાપ હેય છે. ७४ આનાથી એ પ્રાપ્ત થાય કે અભ્યુદયનું કારણ બને તેવું પુણ્ય ઉપાદેય છે અને અભ્યુદયનું કારણ નથી તેવું પુણ્ય હેય છે અને પાપ સર્વ પ્રકારનું એકાંતે હેય છે; કેમ કે અનર્થકારી છે. II૨૦॥ (૫) “આશ્રવતત્ત્વ”નું વર્ણન (૨૧ થી ૨૪) અવતરણિકા : ગાથા-૧માં નવતત્ત્વનાં નામો બતાવ્યાં અને તેમાંથી જીવ, અજીવ, પુણ્ય અને પાપ એ ચાર તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપથી બતાવ્યું. હવે ક્રમપ્રાપ્ત આશ્રવતત્ત્વનું સ્વરૂપ ગાથા-૨૧ થી ૨૪માં બતાવે છે ગાથા ઃ इंदिअ कसाय अव्वय, जोगा पंच चउ पंच तिनि कमा । किरियाओ पणवीस, इमा उ ताओ अणुक्कमसो ।। २१ । । ગાથાર્થ ઃ ઈન્દ્રિય, કષાય, અવ્રત અને યોગ ક્રમસર પાંચ, ચાર, પાંચ અને ત્રણ છે. ક્રિયાઓ પચીસ છે અને આ=પચીસ ક્રિયાઓ અનુક્રમથી તે છે=આગળ ગાથા-૨૨, ૨૩, ૨૪માં ક્રમથી બતાવેલ છે, તે છે. II૨૧]I ભાવાર્થ: - કર્મબંધને અનુકૂળ એવા આશ્રવના પરિણામમાં કારણભૂત પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ યોગ અને પચીસ ક્રિયાઓ મળીને કુલ બેંતાલીસ આશ્રવના ભેદો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy