SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૦ ૭૩ અધિક અધિક પાપબંધનું કારણ બને છે અને દીર્ઘ સંસારનું કારણ બને છે. આ પાપપ્રકૃતિ અધ્યવસાયની મલિનતાને કારણે પાપનો પ્રવાહ ચલાવે છે. તેથી તે સાનુબંધપાપપ્રકૃતિ છે. જે જીવોને અતત્ત્વ પ્રત્યે અનિવર્તનીય રાગ હોય છે, તેવા જીવો દાન, શીલ, તપ, ભાવમાંથી કોઈપણ પ્રકારનો ધર્મ સેવતા હોય અથવા તો અન્ય કોઈપણ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે જે પુણ્ય બંધાય છે, તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય હોય છે, તેથી સંસારની વૃદ્ધિનું કારણ બને છે. જેમ જમાલિની સંયમની ક્રિયા. જે જીવોને મિથ્યાત્વને કારણે અતત્ત્વનો રાગ વર્તે છે, પરંતુ તેમનો અતત્ત્વનો તે રાગ અનિવર્તનીય નથી, પરંતુ સામગ્રી પામીને નિવર્તન પામે તેવો છે, આવા જીવોને અતત્ત્વ પ્રત્યેનો રાગ કંઈક મંદ હોય છે. તેથી આ જીવો ભવના સ્વરૂપને કાંઈક યથાર્થ રીતે જોઈ શકે છે અને ભવથી વિરક્ત થઈને યોગમાર્ગના અર્થી બને છે. આવા જીવો સમ્યક્ત ન પામ્યા હોય તોપણ સમ્યકત્વને અભિમુખ કોઈક ભૂમિકામાં હોય છે, અને તેવા જીવો તપ-સંયમ આદિની જે શુભક્રિયાઓ કરે છે તેનાથી જે પુણ્ય બંધાય છે, તે કંઈક અંશથી તત્ત્વમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. જોકે આ જીવોને, મિથ્યાત્વને કારણે અતત્ત્વનો રાગ પણ છે, છતાં આવા જીવો તત્ત્વને અભિમુખ ઉદ્યમ કરતા હોય છે, તેથી અતત્ત્વનો રાગ ઘટતો હોય છે ત્યારે મોક્ષમાર્ગને અનુકૂળ પુણ્ય બાંધતા હોય છે. વળી, આ જીવો કોઈક નિમિત્તને પામીને પોતાનામાં રહેલા વિપર્યાસથી અતત્ત્વ પ્રત્યેના પક્ષપાતથી પ્રવૃત્તિ કરતા હોય, અને તે વખતે કોઈક શુભ અનુષ્ઠાનમાં યત્ન વર્તતો હોય, તો સંસારના પરિભ્રમણનું કારણ બને તેવું પણ પુણ્ય બાંધે છે. વળી, જે જીવોનું મિથ્યાત્વમોહનીયકર્મ કયોપશમ આદિ ભાવરૂપે થયું છે, તેવા જીવોને તત્ત્વ પ્રત્યે અત્યંત રાગ હોય છે અને તત્ત્વ જાણવા માટે પૂર્ણ મધ્યસ્થતાથી શક્તિ અનુસાર અવશ્ય યત્ન કરતા હોય છે. વળી, તત્ત્વનો બોધ કર્યા પછી તત્ત્વને જીવનમાં આચરીને સંસારનો અંત કરવાની પણ બલવાન ઇચ્છા હોય છે. આવા જીવોને સર્વજ્ઞનું વચન તત્ત્વરૂપે દેખાય છે, તેથી સર્વક્સના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy