SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૦ (૨૮) અશુભનામકર્મ - દેહના નાભિની નીચેના પાદાદિ અવયવો અશુભ કહેવાય છે. તે અશુભનામકર્મનું કાર્ય છે. (૨૯) દુર્ભગનામકર્મ :- અકમનીય દુર્ભગ મનને અપ્રીતિ પેદા કરાવે તે દુર્ભાગ્ય અને તે દુર્ભાગ્યને પેદા કરાવનારું કર્મ તે દુર્ભગનામકર્મ. (૩૦) દુઃસ્વરનામકર્મ - જે સ્વર સાંભળવાથી અપ્રીતિ થાય, તેવા સ્વરની પ્રાપ્તિનું કારણ તે દુઃસ્વરનામકર્મ. (૩૧) અનાદેયનામકર્મ - યુક્તિયુક્ત વાત હોવા છતાં તેનું કથન જે નામકર્મના ઉદયથી અનાદેય બને છે અર્થાત્ અસ્વીકાર્ય બને છે, તે અનાદેયનામકર્મનું કાર્ય છે. (૩૨) અપયશનામકર્મ :- જે નામકર્મના ઉદયથી જીવને લોકમાં અપયશ પ્રાપ્ત થાય છે, તે અપયશનામકર્મ છે. આ રીતે સ્થાવરદશક “પાપપ્રકૃતિ” છે. ll૨૦માં વિશેષ ભાવાર્થ - નવતત્ત્વની પ્રરૂપણા અભ્યદય અને મોક્ષના અર્થી જીવ માટે કરેલ છે, અને તેમાં પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વ અભ્યદયના અર્થી માટે બંધ તત્ત્વથી સ્વતંત્ર બતાવેલ છે. માત્ર મોક્ષના અર્થી માટે તો પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વ સિવાયનાં સાત તત્ત્વો બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના અર્થી પણ જીવો મોક્ષના ઉપાયભૂત અસંગભાવમાં જવા માટે સમર્થ ન બને ત્યાં સુધી અસંગભાવને અનુકૂળ શક્તિસંચયનું કારણ બને તે માટે અભ્યદયના અર્થી હોય છે. તેથી તેઓને પણ અભ્યદયની પ્રાપ્તિ માટે પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વનું જ્ઞાન આવશ્યક છે, જેથી પુણ્યતત્ત્વમાં ઉદ્યમ કરે અને પાપતત્ત્વના પરિવાર માટે ઉદ્યમ કરે, જેથી અભ્યદયની પ્રાપ્તિ થાય અને ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ થાય. આથી જે પુણ્યપ્રકૃતિઓ સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષફળનું કારણ હોય તેવી પુણ્યપ્રકૃતિઓને જ અહીં પુણ્યપ્રકૃતિરૂપે ગ્રહણ કરવાની છે, પરંતુ જે દેવગતિ આદિ પુણ્યપ્રકૃતિઓની પ્રાપ્તિથી આરંભ-સમારંભ દ્વારા સંસારની વૃદ્ધિ થાય, તેવી પુણ્યપ્રકૃતિઓ પરમાર્થથી પુણ્યપ્રકૃતિ તરીકે ગણવાની નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy