SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ છ0 નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૦ (૨૪) સૂક્ષ્મનામકર્મ :- સૂક્ષ્મ શરીરની નિષ્પત્તિનું કારણ એવું જે કર્મ તે સૂક્ષ્મનામકર્મ. આ કર્મ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયવર્તી એકેન્દ્રિય જીવોમાંથી કેટલાકને હોય છે, અને જેઓને સૂક્ષ્મ નામકર્મનો ઉદય હોય તેઓનું શરીર ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતું નથી અને અન્ય જીવોના શરીરને ઉપઘાતનું કારણ તેઓનું શરીર બનતું નથી અને અન્ય જીવોના શરીરથી તેઓના શરીરને ઉપઘાત પણ થતો નથી, તેવું સૂક્ષ્મ શરીર જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે તે સૂક્ષ્મનામકર્મ. (૨૫) અપર્યાપ્ત નામકર્મ - જે નામકર્મના ઉદયથી શરીર આદિ છ પર્યાપ્તિમાંથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જીવનું મૃત્યુ થાય તે અપર્યાપ્તનામકર્મ છે. (૨૭) સાધારણનામકર્મ - જે નામકર્મના ઉદયથી અનંતા જીવોનું એક શરીર થાય તે સાધારણનામકર્મ. સાધારણનામકર્મના ઉદયવાળા જીવો એકસાથે જન્મે છે, અને એક જીવ જે પુદ્ગલને ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવે છે તે જ પુદ્ગલને ગ્રહણ કરીને તે શરીરવર્તી ઉત્પન્ન થનારા અનંતા જીવો તે શરીરને બનાવે છે. આ રીતે અનંતા જીવોના પ્રયત્નથી બનેલું એક શરીર સાધારણનામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તે સર્વ જીવો એક સાથે જન્મે છે, એક સાથે મૃત્યુ પામે છે, એક સાથે આહાર ગ્રહણ કરે છે, એક જીવ જે આહાર ગ્રહણ કરે તે આહાર તદ્વર્તી સર્વ જીવોનો છે, એક જીવનો જે શ્વાસોચ્છવાસ છે તે શ્વાસોચ્છવાસ તદ્ શરીરવર્તી સર્વ જીવોનો છે. ફક્ત એક શરીરમાં રહેલા તે અનંતા જીવોના અધ્યવસાયો જુદા જુદા હોય છે. તેથી તે અધ્યવસાયને અનુરૂપ તે શરીરમાં રહેલા સર્વ જીવો જુદાં જુદાં કર્મો બાંધે છે. તેથી તે શરીરમાંથી સર્વ જીવો સાથે ચ્યવીને સ્વકર્મ અનુસાર ભિન્ન ભિન્ન સ્થાનમાં જન્મે છે. (૨૭) અસ્થિર નામકર્મ - શરીરના જે અવયવો સ્થિર હોવા જોઈએ, તેના બદલે શરીરના તે અવયવો જે નામકર્મના ઉદયથી અસ્થિર થાય તે અસ્થિરનામકર્મ છે. જેમ કેટલાકના કાન સતત ધ્રૂજતા હોય, ઘણાની આંખોના ભવાં સતત ફરકતાં હોય કે હોઠ સતત કંપન કરતા હોય, તે અસ્થિરનામકર્મનો ઉદય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy