SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ GO નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ (૬૪--) બેન્દ્રિયજાતિનામકર્મ, તે ઇન્દ્રિયજાતિનામકર્મ અને ચઉરિદ્રિયજાતિનામકર્મ:- બેઇન્દ્રિય જાતિ, તે ઇન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિય જાતિ શબ્દથી અભિવ્યક્ત થાય તેવા પર્યાય વડે જીવની જે ઉત્પત્તિ તે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ છે અને તે જાતિને પેદા કરનારું કર્મ તે બેઇન્દ્રિયજાતિનામકર્મ, તેઇન્દ્રિયજાતિનામકર્મ અને ચઉરિન્દ્રિયજાતિનામકર્મ છે. (૩૭) ઉપઘાતનામકર્મ :- જે નામકર્મના ઉદયથી જીવને પોતાના શરીરના અવયવોથી પોતાના શરીરના અન્ય અવયવોને ઉપઘાત થાય તે ઉપઘાતનામકર્મ. (૬૮ થી ૭૨) સંહનનનામકર્મ - શરીરનાં હાડકાંના પુદ્ગલો જેનાથી દઢ કરવામાં આવે તે સંઘયણનામકર્મ કહેવાય. ઋષભનારાચ આદિ પાંચે સંઘયણ પાપપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે. (૩૮) ઋષભનારાચસંહનનનામકર્મ - ઋષભનારાચસંઘયણમાં બે હાડકાંઓ એકબીજા સાથે મર્કટથી બંધાયેલાં હોય અને તેના ઉપર હાડકાનો પાટો હોય, તો તે ઋષભનારાયસંહનનકર્મ કહેવાય અને તેવું સંવનન અપાવનાર કર્મ ઋષભનારાચસંહનનનામકર્મ છે. (૩૯) નારાયસંહનનનામકર્મ :- બે હાડકાંઓ એકબીજા સાથે મર્કટબંધથી જોડાએલા હોય, પરંતુ વજ-ખીલો ન હોય અને પાટો પણ ન હોય, તે નારાચસંહનન કહેવાય છે, અને તેવું સહનન અપાવનાર કર્મ નારાયસંહનનનામકર્મ છે. (90) અર્ધનારાચસંહનાનામકર્મ :- એક તરફ મર્કટ અને બીજી તરફ ખીલીરૂપ હાડકાંથી ટકાવેલ હોય, તે અર્ધનારાચસંહનન કહેવાય છે, અને તેવું સંવનન અપાવનાર કર્મ અર્ધનારાચસંહનનનામકર્મ છે. (૭૧) કલિકાસંહનાનામકર્મ :- બંને હાડકાંઓ માત્ર ખીલીથી અટકાવી રાખેલા હોય, તે કલિકાસંહનન કહેવાય છે, અને જીવને તેવું સંવનન અપાવનાર કર્મ કલિકાસંહનનનામકર્મ છે. (૭૨) સેવાર્તસંવનનનામકર્મ :- માત્ર હાડકાંના છેડા પરસ્પર જોડાયેલા હોય, પરંતુ મજબૂતાઈ માટે ખીલો, પાટો કે મર્કટબંધની ગોઠવણ ન હોય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy