SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ અહીં વિશેષ એ છે કે ચાર દર્શનાવરણ સામાન્ય બોધને પ્રગટ કરવામાં બાધક છે, અને ચાર દર્શનાવરણમાંથી જેનો ક્ષયોપશમભાવ વર્તતો હોય તે દર્શન જાગૃત અવસ્થામાં પ્રગટ હોય છે, અને જાગૃત અવસ્થામાં પ્રગટ એવા તે દર્શનને નિદ્રાદર્શનાવરણીય કર્મ હણે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુદર્શનાવરણ આદિ ચાર દર્શનાવરણ કર્મો દર્શનના ઉદ્ભવમાં બાધક છે અર્થાત્ જે દર્શનાવરણીય કર્મ ઉદયમાં હોય તે પ્રકારનું દર્શન પ્રગટ થાય નહીં. અને ચક્ષુદર્શનાવરણ આદિમાંથી જેનો ક્ષયોપશમ હોય તે દર્શન પ્રગટ થયેલું હોય અને નિદ્રાનો ઉદય થાય તો તે પ્રગટ થયેલા દર્શનનું હનન કરે છે. (૨૦) નીચગોત્ર:- નીચ જાતિ અને હલકા કુળની પ્રાપ્તિનું કારણ નીચ ગોત્રકર્મ છે. (૨૧) અશાતા વેદનીય - ખગની ધારથી જીભના છેદન જેવું અશાતાવેદનીય છે. જીવને જે પ્રતિકૂળ વેદન થાય તે અશાતાવેદનીય છે. ઇન્દ્રિયને જે પદાર્થો ઉપઘાત કરે તેનાથી જીવને અશાતાવેદનીયનો અનુભવ થાય છે. (૨૨) મિથ્યાત્વમોહનીય :- ભગવાનના વચનથી વિપરીત રુચિ તે મિથ્યાત્વમોહનીય છે. ભગવાનના વચનથી વિપરીત રુચિ તે જીવને એકાંતે અહિતનું કારણ છે, તેથી અહિતની પરંપરાનું બીજ મિથ્યાત્વમોહનીય હોવાથી પાપપ્રકૃતિ છે. (૨૩ થી ૩૨) સ્થાવરદશક:- હવે પછીની ગાથા-૨૦માં પૃથક્ બતાવેલ છે. તેથી અહીં બતાવેલ નથી. (૩૩) નરકઆયુકર્મ - નરકભવની પ્રાપ્તિનું કારણ બને અને નરકગતિમાં ચોક્કસ કાલમાન સુધી જીવને ધારણ કરવાનું કારણ બને એવું જે કર્મ, તે નરક આયુકર્મ છે. (૩૪) નરકગતિનામકર્મ - દેહધારી જીવને નારકપર્યાયની=નારક આકારની પ્રાપ્તિનું કારણ બને તે નરકગતિનામકર્મ છે. (૩૫) નરકઆનુપૂર્વી - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં નરકમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય, તે નરકઆનુપૂર્વી નામકર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy