SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ (૮) ભોગાંતરાય કર્મ - જે વ્યક્તિ પાસે વૈભવ હોય, આહારાદિ સામગ્રી પણ પ્રાપ્ત થઈ હોય, વિરતિનો પરિણામ પણ ન હોય છતાં જે કર્મના ઉદયથી ભોગવી ન શકે તે ભોગાંતરાયકર્મ છે. (૯) ઉપભોગાંતરાય કર્મ :- જે વ્યક્તિ પાસે વસ્ત્ર-અલંકાર આદિ વિદ્યમાન હોય તોપણ જે કર્મના ઉદયથી તેને ભોગવી ન શકે તે ઉપભોગાંતરાય કર્મ છે. (૧૦) વીર્યંતરાય કર્મ - બળવાન શરીર હોય, શરીર રોગ વગરનું હોય, યુવાન વય હોય છતાં નાનું પણ કાર્ય કરવા માટે જે કર્મના ઉદયથી અસમર્થ હોય તે વીર્યંતરાય કર્મ છે. (૧૧ થી ૧૯) દર્શનાવરણીયકર્મની નવ પ્રકૃતિ :(૧૧) ચક્ષુદર્શનાવરણ-અચક્ષુદર્શનાવરણ - કર્મગ્રંથ પ્રમાણે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રમાણે છે – ચક્ષુથી થતો સામાન્ય બોધ, તે ચક્ષુદર્શન, અને તેને આવરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણ. (૧૨) અચક્ષુદર્શનાવરણ - ચક્ષુને છોડીને શેષ ઇન્દ્રિયોથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન, અને તેને આવરનારું કર્મ તે અચક્ષુદર્શનાવરણ. ‘સન્મતિતર્કગ્રંથ અનુસાર ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રમાણે છે – ચક્ષુઇન્દ્રિયથી જે સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન, અને અચક્ષુથી=મનથી બોધ થાય તે અચક્ષુદર્શન. આ મત પ્રમાણે અન્ય ઇન્દ્રિયોથી દર્શન નથી; અને તેમાં યુક્તિ છે કે “વસુધા પડ્યામિ મનસા પશ્યામ” આ પ્રકારનો પ્રયોગ થાય છે, પણ ‘શ્રોત્રે પશ્યામએ પ્રકારનો પ્રયોગ થતો નથી. તેથી શ્રોતેન્દ્રિય આદિ ઇન્દ્રિયો દ્વારા દર્શન નથી; અને ‘પા’િ શબ્દ દર્શનનો વાચક છે અને ‘નાનાનિ' શબ્દ જ્ઞાનનો વાચક છે, તેથી “ચક્ષુથી જોઉં છું” એ પ્રકારનો અનુભવ એ ચક્ષુદર્શન છે અને “મનથી જોઉ છું” એ પ્રકારનો અનુભવ એ અચક્ષુદર્શન છે; અને ચક્ષુથી થતા દર્શનને આવરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણ અને મનથી થતા દર્શનને આવરનારું કર્મ તે અચક્ષુદર્શનાવરણ. (૧૩) અવધિદર્શનાવરણ:- રૂપી દ્રવ્યવિષયક જે વિશેષબોધ છે તે અવધિજ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy