SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ ભાવાર્થ :પાપપ્રકૃતિના વ્યાસી ભેદ છે, તે આ પ્રમાણે :(૧ થી ૫) જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદવાળું જ્ઞાન છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જીવનું જ્ઞાન મંદમંદતર થાય છે. તેથી પ્રકાશને આવરણ કરનાર પડદાની ઉપમાવાળું પાંચ જ્ઞાનને આવરનારું પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીયકર્મ છે. જે આ પ્રમાણે : (૧) મતિજ્ઞાનાવરણ :- પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનથી જે બોધ થાય તે મતિજ્ઞાન છે. તેને આવરનારું કર્મ તે મતિજ્ઞાનાવરણ. (૨) શ્રુતજ્ઞાનાવરણ :- શાસ્ત્રવચન દ્વારા જે અર્થનો બોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેને આવરનારું કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ. (૩) અવધિજ્ઞાનાવરણ - મન અને ઇન્દ્રિયથી નિરપેક્ષ આત્મપ્રદેશથી થનારું રૂપી દ્રવ્યવિષયક જ્ઞાનવિશેષ તે અવધિજ્ઞાન છે. તેને આવરનારું જે કર્મ તે અવધિજ્ઞાનાવરણ છે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણ :- સંજ્ઞીપંચેન્દ્રિય જીવો મન દ્વારા જે પદાર્થોનું ચિંતવન કરે તે મનોદ્રવ્યોનું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન છે, અને તે મન:પર્યવજ્ઞાનને આવનારું જે કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણ. (૫) કેવલજ્ઞાનાવરણ :- સર્વ પર્યાયવિષયક જે બોધ થાય તે કેવલજ્ઞાન, અને તેને આવરનારું જે કર્મ તે કેવલજ્ઞાનાવરણ. (૬ થી ૧૦) અંતરાયકર્મની પાંચ પ્રકૃતિ :() દાનાંતરાય કર્મ :- દાન આપવા યોગ્ય વસ્તુ વિદ્યમાન હોય, ગુણવાન પાત્ર ઉપલબ્ધ હોય અને દાનનું ફળ પોતે જાણતો હોય, છતાં જે કર્મના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થતો હોય તે દાનાંતરાયકર્મ છે. (૭) લાભાંતરાય કર્મ - વિશિષ્ટ દાતા હોય અને વિશિષ્ટ દાતા પાસે આપવા યોગ્ય વસ્તુ વિદ્યમાન હોય અને માંગવા માટે કુશળ યાચક હોય, છતાં માગવા છતાં યાચક જે કર્મના ઉદયથી દાતા પાસેથી મેળવી ન શકે તે લાભાંતરાય કર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy