SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૭, ૧૮-૧૯ સ્વીકૃત થાય છે, અને તેના દર્શન સાથે જ લોકો અભ્યસ્થાન આદિ=ઊભા થવું, હાથ જોડવા વગેરે કરે છે, તે આદેયનામકર્મ છે. (૩૮) યશકીર્તિનામકર્મ :- જે કર્મના ઉદયથી યશ અને કીર્તિ થાય તે યશકીર્તિનામકર્મ છે. ત્યાં સામાન્યથી તપ, શૌર્ય, ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે લોકોમાં જે શ્લાઘા થાય=પ્રશંસા થાય, તે યશકીર્તિનામકર્મ છે. આ રીતે ત્રસદશક પુણ્યપ્રકૃતિ છે. I૧ળા (૪) “પાપતત્ત્વ”નું વર્ણન (ગાથા-૧૮ થી ૨૦) અવતરણિકા - પૂર્વની ત્રણ ગાથા-૧૫ થી ૧૭માં પુણ્યતત્વનું વર્ણન કરેલ. હવે ગાથા૧૮ થી ૨૦માં પાપતત્વનું વર્ણન કરે છે – ગાથા : नाणंतरायदसगं, नव बीए नीअसाय मिच्छत्तं । थावरदस-निरयतिगं, कसाय पणवीस तिरियदुगं ।।१८।। इगबितिचउजाईओ, कुखगइ उवघाय हुंति पावस्स । अपसत्थं वनचऊ, अपढमसंघयणसंठाणा ।।१९।। ગાથાર્થ : જ્ઞાનાંતરાયદશક પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાયકર્મ એમ દસ પ્રકૃતિઓ, નવ બીજા કર્મની દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓ, નીચ અને અશાતા-નીચ ગોગકર્મ અને અશાતાવેદનીયકર્મ, મિથ્યાત્વમોહનીયકર્મ, સ્થાવરદશક, નરકનિક, કષાયની પચીસ પ્રકૃતિઓ અને તિર્યંચદ્ધિક. ૧૮ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિઓ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ અને પ્રથમ સિવાયનાં પાંચ સંસ્થાન પાપની પ્રકૃતિઓ છે. ll૧૯II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy