SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૭ (૨૯) ત્રસનામકર્મ :- ગરમી આદિથી વિહ્વળ થયેલા જીવો વિવક્ષિત સ્થાનથી ઉદ્વેગ પામીને છાયાદિના સેવન માટે સ્થાનાંતર કરે તે ત્રસજીવો કહેવાય, અને ત્રસપણાની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ત્રસનામકર્મ છે. (૩૦) બાદરનામકર્મ :- બાદરનામકર્મના ઉદયથી જીવો સ્થૂલ શરીરવાળા થાય છે. બાદરપણું અહીં ચક્ષુગ્રાહ્યપણારૂપે ઇષ્ટ નથી; કેમ કે બાદર એવા પૃથ્વીકાય આદિના એક એક શરીર ચક્ષુગ્રાહ્ય નથી, પરંતુ બાદરનામકર્મનો વિપાક જીવમાં છે; કેમ કે બાદરનામકર્મ જીવવિપાકી પ્રકૃતિ છે, પરંતુ પુદ્ગલવિપાકી નથી. તેથી બાદરનામકર્મ જીવનો કોઈક બાદર પરિણામ પેદા કરે છે. ૫૮ વળી, બાદરનામકર્મ જીવવિપાકી છે, છતાં પણ શરીરના પુદ્ગલમાં પણ કંઈક બાદ૨૫ણાની અભિવ્યક્તિ બતાવે છે. તેથી બાદરનામકર્મવાળા પૃથ્વીકાય આદિનાં ઘણા શરીરોનાં સમૂહનું ચક્ષુથી ગ્રહણ થાય છે, અને સૂક્ષ્મનામકર્મવાળા ઘણા પણ પૃથ્વીકાય આદિના શરીરોનું ચક્ષુથી ગ્રહણ થતું નથી. (૩૧) પર્યાપ્તનામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ અવશ્ય પૂરી કરે તે પર્યાપ્તનામકર્મ. (૩૨) પ્રત્યેકનામકર્મ :- જે કર્મના ઉદયથી દરેક જીવને પૃથગ્ પૃથગ્ શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામકર્મ. (૩૩) સ્થિરનામકર્મ :- જે કર્મના ઉદયથી દાંત, મસ્તક આદિનાં હાડકાં અને ગ્રીવાદિ અવયવો નિશ્ચલ થાય તે સ્થિરનામકર્મ. (૩૪) શુભનામકર્મ :- જે કર્મના ઉદયથી નાભિની ઉ૫૨ના અવયવો શુભ થાય તે શુભનામકર્મ. (૩૫) સુભગનામકર્મ :- જે કર્મના ઉદયથી અનઉપકારી એવો પણ તે પુરુષ સર્વને પ્રિય થાય તે સુભગનામકર્મ. (૩૬) સુસ્વરનામકર્મ :- જે કર્મના ઉદયથી માધુર્ય ગુણથી અલંકૃત સુખને દેનારો ધ્વનિ થાય તે સુસ્વરનામકર્મ. (૩૭) આદેયનામકર્મ :- જે નામકર્મના ઉદયથી જીવનાં વચનો બધા લોકોને ગ્રાહ્ય થાય છે અર્થાત્ આદેયનામકર્મવાળો પુરુષ જે કાંઈ બોલે છે તે બધાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy