SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧પ-૧૬, ૧૭ પાત્રોને યથાસ્થાન યોજન કરે છે તેમ આ કર્મ અંગઉપાંગને યથાસ્થાન યોજન કરે છે તેથી સૂત્રધાર જેવું કહેવામાં આવે છે. (૨૯ થી ૩૮) ત્રસદશક:- હવે પછીની ગાથા-૧૭માં પૃથક રીતે બતાવેલ છે. (૩૯ થી ૪૧) દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય :બેડીમાં નાખેલો પુરુષ છૂટવા ઇચ્છે તોપણ છૂટી શકે નહિ, તેમ આયુષ્યકર્મ જીવને બેડીમાં નાખવા જેવું કાર્ય કરે છે. જે કર્મના ઉદયથી દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પ્રાપ્ત થાય તે દેવઆયુષ્યકર્મ, મનુષ્યઆયુષ્યકર્મ કે તિર્યંચઆયુષ્યકર્મ કહેવાય છે. (૪૨) તીર્થંકરનામકર્મ - જે નામકર્મના ઉદયથી તીર્થકરનો આત્મા ધર્મતીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકરનામકર્મ છે. તીર્થંકરનામકર્મના ઉદયથી જીવ ત્રણ ભુવનમાં પણ પૂજ્ય થાય છે. તીર્થકર નામકર્મનો વિપાક કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી થાય છે. ll૧૫-૧૬ અવતરણિકા : પૂર્વની બે ગાથામાં બેંતાલીસ પુણ્યપ્રકૃતિ બતાવેલ, જેમાં ત્રસદશકને ગ્રહણ કરેલ. તેથી હવે ત્રસદશકમાં કઈ દશ પ્રકૃતિ છે, તે બતાવે છે – ગાથા : तस बायर पज्जत्तं, पत्तेअ थिरं सुभं च सुभगं च । सुस्सर आइज्ज जसं, तसाइदसगं इमं होइ ।।१७।। ગાથાર્થ : બસનામકર્મ, બાદરનામકર્મ, પર્યાતનામકર્મ, પ્રત્યેકનામકર્મ, સ્થિરનામકર્મ, શુભનામકર્મ, સુભગનામકર્મ, સુસ્વરનામકર્મ, આદેયનામકર્મ અને યશનામકર્મ આ ત્રસાદિ દશક છે. [૧] ભાવાર્થત્રસદશકની દસ પ્રકૃતિ આ પ્રમાણે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy