SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ નવતત્વ પ્રકરણ| ગાથા-૧૫-૧૬ (૧૨) કાર્મણશરીરનામકર્મ - જીવ સાથે એકમેકભાવને પામેલા એવા જે કર્મોનો સમૂહ તે કાર્મણશરીર છે, અને અધ્યવસાયથી જીવ જે કર્મો બાંધે છે, તે કર્મોને આત્મા સાથે એકમેક કરવા અર્થે જે પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે, તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો છે, અને કાર્મણવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને જીવ પોતાના વીર્યવ્યાપારથી અને પોતાના અધ્યવસાયથી જે કર્મ બાંધે છે, તે સર્વ કર્મનાં પુદ્ગલોને ગ્રહણ કરવામાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે કાર્મણશરીરનામકર્મ છે. (૧૩) દારિકશરીરસંગોપાંગનામકર્મ (૧૪) વેક્રિયશરીરસંગોપાંગનામકર્મ અને (૧૫) આહારકશરીરસંગોપાંગ નામકર્મ. કર્મગ્રંથના મત પ્રમાણે અંગ, ઉપાંગ અને અંગોપાંગ એ ત્રણ ભેદથી અંગોપાંગનામકર્મ વિભક્ત છે, અને તત્ત્વાર્થભાષ્યના મત પ્રમાણે અંગ અને ઉપાંગ એ બે જ ભેદથી અંગોપાંગનામકર્મ વિભક્ત છે. આ અંગોપાંગનામકર્મ દારિક શરીર, વૈક્રિય શરીર અને આહારકશરીરને આશ્રયીને ત્રણ ભેદવાળું તત્ત્વાર્થ અને કર્મગ્રંથના મત પ્રમાણે સમાન છે. કર્મગ્રંથના મત પ્રમાણે – અંગોપાંગ=અંગ, ઉપાંગ અને અંગોપાંગ. તેને પેદા કરાવનારું જે કર્મ તે અંગોપાંગનામકર્મ છે. તેમાં અંગને પેદા કરાવનારું કર્મ તે અંગનામકર્મ છે, તેનાથી શિર, ઉદર આદિ અંગો પેદા થાય છે, અને તે અંગોના અવયવભૂત આંગળી આદિ ઉપાંગો છે, તેને પેદા કરાવનારું કર્મ તે ઉપાંગનામકર્મ છે, અને આંગળી આદિમાં જે પર્વ-રેખા આદિ છે તે અંગોપાંગ છે, અને તેને પેદા કરાવનારું કર્મ તે અંગોપાંગનામકર્મ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક ત્રણે શરીરની નિષ્પત્તિમાં રચાતાં અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચનામાં અંગોપાંગનામકર્મ કારણ છે. ઔદારિક આદિ શરીરમાં વ્યાપીને તૈજસ અને કાર્મણ શરીર રહેલું છે અને તેનાં અંગઉપાંગ નથી. માટે તેને આશ્રયીને અંગોપાંગનામકર્મ નથી. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૮, સૂત્ર-૧૨ના ભાગમાં અંગોપાંગનામકર્મ આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy