SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬ પ૩ (૪) મનુષ્યઆનુપૂર્વનામકર્મ - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં મનુષ્યભવમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય તે મનુષ્યઆનુપૂર્વીનામકર્મ છે. (૫) દેવગતિનામકર્મ - દેવભવમાં દેવપર્યાયની પ્રાપ્તિનું કારણ બને તે કર્મ દેવગતિનામકર્મ છે. (૯) દેવઆનુપૂર્વી - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં દેવભવમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય તે દેવઆનુપૂર્વનામકર્મ છે. (૭) પંચેન્દ્રિયજાતિનામકર્મ:- પંચેન્દ્રિયજાતિ શબ્દથી અભિવ્યક્ત થાય તેવા પર્યાય વડે કરીને જીવની જે ઉત્પત્તિ છે તે પંચેન્દ્રિયજાતિ છે અને તે જાતિનું કારણ એવું જે કર્મ તે પંચેન્દ્રિયજાતિનામકર્મ છે. (૮) દારિકશરીરનામકર્મ :- ઔદારિક વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરીને જીવ જે શરીર બનાવે છે તે શરીરની નિષ્પત્તિમાં નિમિત્ત કારણ એવું જ કર્મ તે ઔદારિકશરીરનામકર્મ છે. (૯) વૈક્રિયશરીરનામકર્મ :- વૈક્રિય વર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને જીવ જે શરીર બનાવે છે, તે શરીરની નિષ્પત્તિમાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે વૈક્રિયશરીરનામકર્મ છે. (૧૦) આહારકશરીરનામકર્મ - ચૌદ પૂર્વધર એવા સાધુ પોતાના સંશયના નિવર્તન અર્થે મહાવિદેહ આદિ ક્ષેત્રમાં જવા અર્થે આહારક વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને જે શરીર બનાવે છે, તે શરીરની નિષ્પત્તિમાં કારણ એવું જ કર્મ તે આહારકશરીરનામકર્મ છે. (૧૧) તેજસશરીરનામકર્મ :- જીવ વડે ઔદારિક આદિ શરીર બનાવવા માટે જે પુદ્ગલો ગ્રહણ કરાય છે તે પુદ્ગલોને તે શરીરરૂપે પરિણમન પમાડવામાં નિમિત્ત કારણ તૈજસ શરીર છે. તેજસવર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને જીવ જે શરીર બનાવે તે શરીરની નિષ્પત્તિમાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે તૈજસશરીરનામકર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy