SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર નવતત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬ (૩) “પુણ્યતત્ત્વ”નું વર્ણન (ગાથા-૧૫ થી ૧૭) અવતરણિકા : ગાથા-૧માં નવતત્વનાં નામો બતાવ્યાં. ત્યારપછી જીવતત્વ અને અજીવતત્ત્વનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે પુણ્યતત્ત્વને બતાવવા અર્થે તેના ભેદો ગાથા-૧૫ થી ૧૭ સુધી બતાવે છે – ગાથા - सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिंदिजाइ पणदेहा । आइतितणूणुवंगा, आइमसंघयणसंठाणा ।।१५।। वनचउक्कागुरुलहु, परघा उस्सास आयवुज्जो । सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं ।।१६।। ગાથાર્થ - શાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્વિક, સુરદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ દેહ, પ્રથમ ત્રણ શરીરનાં ઉપાંગો, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન. ll૧૫ll વર્ણચતુર્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, શુભ વિહાયોગતિ, નિર્માણ, કસદશક, દેવ-મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય, તીર્થકરનામકર્મ. આ બેંતાલીસ પુણ્યપ્રકૃતિ છે. ll૧૬ll ભાવાર્થ :પુણ્યપ્રકૃતિના બેતાલીસ ભેદો આ પ્રમાણે છે : (૧) શાતા વેદનીય - મધના ચાટવાના જેવું શાતાવેદનીય છે અને શાતાવેદનના કારણભૂત એવું જે કર્મ તે શાતાવેદનીયકર્મ છે. (૨) ઉચ્ચગોત્ર - ઉચ્ચજાતિ અને ઉચ્ચકુળની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ઉચ્ચગોત્રકમ છે. (૩) મનુષ્યગતિનામકર્મ - મનુષ્યભવમાં મનુષ્યપર્યાયની પ્રાપ્તિનું કારણ બને તેવું જે કર્મ તે મનુષ્યગતિનામકર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy