SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૪ ૪૯ ગતિસહાયના પરિણામના અભાવવાળા થવું એ રૂપ પરિણામનો પ્રવાહ ધર્માસ્તિકાયમાં સદા ચાલે છે. તેથી ધર્માસ્તિકાય દ્રવ્ય પણ પરિણામી છે. તે રીતે જ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિષે જાણવું. જીવ-અજીવઃ છ દ્રવ્યોમાં ચેતન પરિણામવાળું આત્મદ્રવ્ય જીવ છે અને જે ચેતન પરિણામવાળું દ્રવ્ય નથી, તેવાં ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો અજીવ છે. મૂર્ત-અમૂર્ત ઃ જેનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે મૂર્ત કહેવાય. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે માટે મૂર્ત છે, અને શરીરવાળો આત્મા આત્મારૂપે અમૂર્ત હોવા છતાં દેહની સાથે કે કર્મની સાથે કથંચિત્ એકમેક ભાવને પામેલો હોવાથી કથંચિત્ મૂર્તિ છે. સિદ્ધના જીવો સર્વથા અમૂર્ત છે. પુગલની સાથે એકમેક થયેલા એવા આત્માને કથંચિતું મૂર્ત કહેવાય છે; કેમ કે તે અવસ્થામાં તે મૂર્ત છે એમ પ્રતીત થાય છે. તેમ આત્મા સાથે એકમેકભાવને પામેલ એવાં દેહનાં પુદ્ગલો કે કર્મનાં પુગલોને અમૂર્ત કહી શકાય નહિ; કેમ કે તે અવસ્થામાં પણ તે પુદ્ગલો અમૂર્તરૂપે પ્રતીત નથી; ફક્ત દેહના અને કર્મના પુદ્ગલ સાથે એકમેકભાવને પામેલા એવા આત્માના અમૂર્ત સ્વભાવનો કર્મનાં પુદ્ગલમાં કે દેહના પુદ્ગલમાં ઉપચાર કરીને ઉપચારથી કર્મનાં પુદ્ગલોને કે દેહનાં પુદ્ગલોને અમૂર્ત કહી શકાય. સપ્રદેશ-અપ્રદેશી : જે સ્કંધના અનેક પ્રદેશો હોય તે પ્રદેશી કહેવાય, અને જેના કોઈ પ્રદેશો ન હોય તે અપ્રદેશી કહેવાય. પ્રદેશ એટલે સ્કંધનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય અંશ, જેનો વિભાગ કેવળજ્ઞાનમાં પણ થતો નથી. તે પ્રદેશ સ્કંધથી છૂટો પડે ત્યારે પરમાણું કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો સપ્રદેશી છે, અને તેના પ્રદેશો સંખ્યાથી અસંખ્યાત છે. આકાશાસ્તિકાય દ્રવ્ય પણ સપ્રદેશ છે, અને તેના પ્રદેશો અનંત છે અને દરેક જીવદ્રવ્ય પણ સપ્રદેશ છે. દરેક જીવદ્રવ્યના પ્રદેશો અસંખ્યાત છે. દરેક જીવદ્રવ્યના પ્રદેશોની સંખ્યા અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશોની સંખ્યા સમાન છે. બે પરમાણુના સ્કંધથી માંડીને અનંતા પરમાણુના બનેલા સ્કંધો સપ્રદેશ છે અને પરમાણુ અપ્રદેશી છે; કેમ કે પરમાણુ સ્કંધ નથી. કાળ એક સમયાત્મક છે અને તે સમય નાશ થયા પછી બીજો સમય આવે છે, તેથી કાળ અપ્રદેશ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy