SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૭-૮ ઇન્દ્રિય=સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય, એમ નવ પ્રાણ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યો, તિર્યંચ, નારકી અને દેવતાને દસ પ્રાણ હોય છે. અર્થાત્ પાંચેય ઇન્દ્રિયો, કાયબળ, વચનબળ અને મનોબળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ દસ પ્રાણ હોય છે. સંસારી જીવો દેહધારી છે, અને દેહ સાથે ઇન્દ્રિયો અને મન-વચન-કાયાનાં ત્રણ બળો જોડાયેલાં હોય છે, અને ઉચ્છવાસ શક્તિ અને આયુષ્યકર્મ હોય છે. આ શરીર અને દશ પ્રાણોના બળથી સંસારી જીવો સંસારની જીવન વ્યવસ્થા ચલાવે છે, સંસારની પ્રવૃત્તિ કરે છે, કર્મ બાંધે છે અને સંસારપરિભ્રમણ કરે છે. વળી, સંજ્ઞીપંચેન્દ્રિય થયેલા જીવો આ દસ પ્રાણના બળથી યોગમાર્ગને પામીને સંસારના ઉચ્છેદમાં પણ યત્ન કરે છે. તેથી આ દસ પ્રાણ જેમ જીવન વ્યવસ્થાનાં અંગો છે, તેમ કર્મબંધને અનુકૂળ મલિનભાવો કરવામાં પણ કારણ છે, અને વિવેકચક્ષુ પ્રગટ થાય તો પંચેન્દ્રિયપણાને પામીને જીવ આ દસ પ્રાણના બળથી શુભઅધ્યવસાયો કરે છે અને સંસારનો ઉચ્છેદ પણ કરે છે. IIII (૨) “અજીવતત્ત્વ”નું વર્ણન (ગાથા-૭ થી ૧૫) અવતરણિકા : ગાથા-૧માં નવતત્ત્વનાં નામ આપ્યાં. ગાથા-રમાં નવ તત્ત્વોના અવાંતર ભેદો કેટલા છે, તેની સંખ્યા બતાવી. પછી નવતત્વમાં પ્રથમ જીવતત્ત્વ હોવાથી જીવતત્વના અનેક ભેદો થાય છે, તેમ ગાથા-૩માં બતાવ્યું, જેથી અન્ય તત્વોના પણ તે રીતે અનેક ભેદો થઈ શકે તેમ જ્ઞાન થાય. ત્યારપછી ગાથા-રમાં જીવતત્ત્વના ૧૪ ભેદો છે તેમ કહેલ, તેથી ગાથા-૪માં જીવતત્વના ૧૪ ભેદો બતાવ્યા, અને ગાથા-પમાં જીવનું લક્ષણ બતાવ્યું, જેથી જીવતત્વ શું છે, તેનો બોધ થાય. ત્યારપછી જીવતત્વના ચૌદ ભેદોમાં પર્યાપ્તઅપર્યાપ્તના ભેદો છે, તેથી પર્યાપ્તિ કેટલી છે અને કયા જીવને કેટલી પર્યાપ્તિ હોય તે ગાથા-૬માં બતાવ્યું, જેથી જીવના સ્વરૂપનો કંઈક વિશેષ બોધ થાય. ત્યારપછી સંસારી જીવો દસ પ્રાણમાંથી યથાયોગ્ય પ્રાણના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy