SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૭ ૩૭ સ્પર્શનેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયો છે અને તે પુદ્ગલોની બનેલી છે, જેનું વર્ણન ગાથા-૨ માં કરેલ છે. ત્રણ બળ અર્થાત્ કાયબળ, વચનબળ અને મનોબળ : જે જીવોએ શરીરપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ પૂર્ણ કરી છે, તે જીવોને ત્રણ બળો હોય છે, જેનાથી જીવો બોધ કરી શકે છે અને પ્રવૃત્તિ કરી શકે છે. કાયબળ એટલે કાયાનાં પુદ્ગલોને અવલંબીને થતી જીવની પ્રવૃત્તિ, તે કાયયોગ છે. વચનબળ એટલે ભાષાવર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને ભાષાપર્યાપ્તિથી ભાષારૂપે પરિણમન પમાડીને બોલવાની ક્રિયા, જેનાથી જીવ તે પ્રકારનો વચનપ્રયોગ કરે છે, અને તે પ્રકારના વચનપ્રયોગ દ્વારા પોતાના અભિપ્રાયનો અન્યને બોધ કરાવે છે, અને પોતે પણ તે વચનપ્રયોગ દ્વારા પોતાના બોધની વૃદ્ધિ કરે છે, તે વચનયોગ છે. મનોબળ એટલે મન:પર્યાપ્તિ દ્વારા મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને થતી ચિંતવનની ક્રિયા, જેના બળથી જીવ પોતાને અભિપ્રેત પદાર્થવિષયક સૂક્ષ્મ બોધ કરે છે. ઉચ્છવાસ એટલે ઉચ્છુવાસ પર્યાપ્તિ દ્વારા શ્વાસોશ્વાસ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને શરીરની વ્યવસ્થાને ટકાવવાને અનુકૂળ ક્રિયા. આયુષ્ય અર્થાત્ દેહ સાથે જીવનો સંબંધ ટકાવવાને અનુકૂળ એવું કર્મ તે આયુષ્યકર્મ છે. તેના બળથી દેહધારી જીવ ચોક્કસ કાળમર્યાદા સુધી દેહ સાથે સંબંધવાળો રહે છે. એકેન્દ્રિયજીવોને ચાર પ્રાણ હોય છે અર્થાત્ એકેન્દ્રિયને એક ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, કાયદળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ ચાર પ્રાણ હોય છે. બેઇન્દ્રિયજીવોને છ પ્રાણ હોય છે અર્થાત્ બેઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય, કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય, એમ છ પ્રાણ હોય છે તે ઇન્દ્રિયને સાત પ્રાણ હોય છે અર્થાત્ ત્રણ ઇન્દ્રિયસ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય અને કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ સાત પ્રાણ હોય છે. ચઉરિન્દ્રિયને આઠ પ્રાણ હોય છે અર્થાત્ ચાર ઇન્દ્રિયસ્પર્શન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય અને કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ આઠ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ પ્રાણ હોય છે અર્થાત્ પાંચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy