SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગાથાર્થ :-- આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનઃ આ છ પર્યાપ્તિ છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિયને ચાર, પાંચ, પાંચ અને છ પર્યાપ્તિ છે. II૬ના નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૬-૭ ભાવાર્થ : કુલ છ પર્યાપ્તિ છે : (૧) આહારપર્યાપ્તિ, (૨) શ૨ી૨૫ર્યાપ્તિ, (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ, (૪) શ્વાસોશ્વાસપર્યાપ્તિ, (૫) ભાષાપર્યાપ્તિ અને (૩) મન:પર્યાપ્તિ. એકેન્દ્રિય જીવને આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ આ ચાર પર્યાપ્તિ છે. વિકલેન્દ્રિયને અને અસંજ્ઞી જીવોને આ ચાર ઉપરાંત પાંચમી ભાષાપર્યાપ્તિ છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. IIII અવતરણિકા : સંસારી જીવોના ચૌદ ભેદોમાં પર્યાપ્તા-અપર્યાપ્તા ભેદો છે. તેથી પૂર્વની ગાથામાં છ પર્યાપ્તિ બતાવી. હવે સંસારી જીવો દશ પ્રાણના બળથી જીવે છે, તેથી તે દશ પ્રાણ કયા છે ? અને કયા જીવને કેટલા પ્રાણ છે ? તે બતાવે છે - ગાથા : पणिदि अत्तिबलूसासाउ दस पाण चउ छ सग अट्ठ । રૂપા-ટુ-તિ-ચરિવીળ, ગન્નિ-સન્નીનું નવ વસ T ITT ગાથાર્થ ઃ પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, ઉચ્છ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણ છે. ચાર, છ, સાત, આઠ ક્રમસર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને અને અસંજ્ઞી અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞી=સંજ્ઞીપંચેન્દ્રિયને નવ અને દસ=ક્રમસર નવ અને દસ પ્રાણ હોય છે. IIII ભાવાર્થ : સંસારી જીવોને પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ=મનોબળ, વચનબળ અને કાયબળ, ઉચ્છ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણ છે, જેના બળથી સંસારી જીવો જીવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy