SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ-૬ વળી, જીવ ચેષ્ટા કરે છે ત્યારે વીર્યનું પ્રવર્તન દેખાય છે. તેથી જ્યાં ચેષ્ટારૂપ વીર્યનું પ્રવર્તન હોય તે જીવ છે, એવો નિયમ હોવાથી “આ જીવ છે” એવું અનુમાન થાય છે. વળી, જીવ ઉપયોગવાળો છે. કોઈપણ જીવ ક્યારેય ઉપયોગ વગરનો નથી. ક્વચિત્ તે ઉપયોગ જ્ઞાનનો હોય તો ક્વચિત્ તે ઉપયોગ દર્શનનો હોય. તેથી ઉપયોગ એ પ્રકારનું જીવનું લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત છે. માટે જીવમાત્રમાં સદા ઉપયોગ લક્ષણની પ્રાપ્તિ છે. | દર્શન એટલે સામાન્ય બોધ અને જ્ઞાન એટલે વિશેષ બોધ. જગતમાં સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાયરૂપ છે. દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. તેથી દ્રવ્યને સ્પર્શીને થનારો જે બોધ, તે સામાન્ય બોધ દર્શન છે અને દ્રવ્યમાં વર્તતા પર્યાયને સ્પર્શીને થનારો જે બોધ તે વિશેષ બોધ જ્ઞાન છે. ભગવાનના વચન અનુસાર મોક્ષને અનુકૂળ આચરણા તે ચારિત્ર છે, અને નિર્જરાનું કારણ એવો બાર પ્રકારનો તપ છે. ગમનાગમન આદિ ચેષ્ટાનું કારણ એવું વીર્ય છે. જ્ઞાનદર્શનને અનુકૂળ બોધનો વ્યાપાર એ ઉપયોગ છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. સંક્ષેપથી એ ફલિત થાય કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પાંચમાંથી કોઈપણ લિંગ જેમાં દેખાય એ જીવ છે, એમ અનુમાન થાય છે, પરંતુ સર્વ જીવોમાં આ પાંચ લિગો એક સાથે વર્તતાં જ હોય, એવો નિયમ નથી. જ્યારે ઉપયોગ લક્ષણ સર્વ જીવોમાં સદા નિયમા વર્તતું જ હોય છે. કોઈ જીવ ઉપયોગ લક્ષણ વગરનો નથી. આપણા અવતરણિકા : જીવનું લક્ષણ બતાવ્યાં પછી ગાથા-૪માં બતાવેલ જીવના ચૌદ ભેદો પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રયીને થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે પર્યાપ્તિઓ કેટલી છે ? અને કયા જીવની કેટલી પર્યાપ્તિઓ હોય ? તે બતાવે છે - ગાથા : आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पि य, इगविगलाऽसन्निसनीणं ।।६।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy